હિન્દુ ધર્મ ઇસ્લામથી જૂનો, પહેલા હિંદુ જ હતા મુસલમાન: ગુલામ નબીનો વીડિયો વાયરલ

કોંગ્રેસથી અલગ થઈને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) બનાવનારા જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગુલામ નબી આઝાદ જમ્મુ-કશ્મીરના લોકોને કહી રહ્યા છે કે “હિન્દુ ધર્મ ઇસ્લામથી પણ જૂનો છે અને બધા મુસ્લિમ પહેલા હિન્દુ જ હતા.” આ અગાઉ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થી સંઘની નેતા શહલા રાશિદનું એક નિવેદન સામે આવ્યું હતું, તેણે જમ્મુ-કાશ્મીરમાં થયેલા વિકાસને લઈને મોદી સરકારના વખાણ કર્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ગુલામ નબી આઝાદનો વીડિયો જમ્મુ-કશ્મીરના ડોડા જિલ્લાનો છે. ગુલામ નબી આઝાદ 9 ઑગસ્ટના રોજ અહીં પહોંચ્યા હતા. વીડિયોમાં તેઓ કહે છે કે, “ઇસ્લામનો જન્મ 1,500 વર્ષ અગાઉ થયો. ભારતમાં કોઈ પણ બાહ્ય નથી. આપણે બધા આ દેશના છીએ. ભારતના મુસ્લિમ મૂળ રૂપે હિન્દુ હતા, જે પછીથી કન્વર્ટ થઈ ગયા. કાશ્મીરમાં 600 વર્ષ અગાઉ કાશ્મીરી પંડિત હતા, પછી ઘણા લોકો કન્વર્ટ થઈને મુસ્લિમ બની ગયા.” આ દરમિયાન ગુલામ નબી આઝાદે લોકોને ભાઈચારો, શાંતિ અને એકતા બનાવી રાખવાનો આગ્રહ કરતા કહ્યું કે, ‘ધર્મને રાજનીતિ સાથે જોડવો ન જોઈએ. લોકોએ ધર્મના નામ પર વૉટ ન આપવા જોઈએ.’

ગુલામ નબી આઝાદે રાજનીતિ સાથે ધર્મને જોડનારાઓને પણ આડે લીધા હતા. તેમણે કહ્યું કે, રાજનીતિમાં જે ધર્મનો સહારો લે છે, તેઓ નબળા છે. જેમને પોતાના પર વિશ્વાસ હશે, તેઓ ધર્મનો સહારો નહીં લે. જે સાચા વ્યક્તિ હશે. તેઓ એ બતાવશે કે હું આગળ શું કરીશ. કેવી રીતે વિકાસ કરીશ, પરંતુ જે નબળા છે તેઓ એમ જ કહેશે કે હું હિન્દુ કે મુસ્લિમ છું. એટલે મને વૉટ આપો. આપણે બહારથી નથી આવ્યા. આ જ માટીમાં જન્મ થયો છે. આ જ માટીમાં વિલિન થવાનું છે. ભાજપના કોઈ નેતાએ કહ્યું કે, કોઈ બહારથી આવ્યું છે, કોઈ અંદરથી આવ્યું છે.

તેમણે આગળ કહ્યું કે, ‘મેં તેમને કહ્યું કે, અંદર બહારથી કોઈ આવ્યું નથી. હિન્દુઓમાં સળગાવવામાં આવે છે. ત્યારબાદ અવશેષ દરિયા (નદી)માં નાખી દે છે. તે પાણી અલગ-અલગ જગ્યાએ જાય છે. ખેતરોમાં પણ જાય છે એટલે કે આપણા પેટમાં જાય છે. ભારતીય મુસ્લિમોની વાત કરતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, મુસ્લિમ પણ આ જ જમીન અંદર જાય છે. તેમનું માંસ, તેમના હાડકાં પણ આ જ ભારત માતાની ધરતીનો હિસ્સો બની જાય છે. તો પછી હિન્દુ-મુસ્લિમ શા માટે કરવાનું? બંને આ જ માટીમાં મળી જાય છે. કહેવાનો અર્થ એ છે કે આ બધી રાજકીય જંગ છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.