રાહુલ ગાંધીના કારણે 3 ડઝન લોકોએ છોડી કોંગ્રેસ: ગુલામ નબી આઝાદ

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DAP) નેતા ગુલામ નબી આઝાદે એક ન્યૂઝ ચેનલને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, તેમણે રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ પાર્ટી છોડી. તેમણે જ નહીં 3 ડઝન લોકોએ રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ છોડી. બધાને ખબર છે કે માત્ર મેં જ નહીં, લગભગ 3 ડઝનની આસપાસ યંગ, ઓલ્ડ, તેમાં 90 ટકા યંગ જ છે. જેમણે કોંગ્રેસ છોડી છે. તેમના (રાહુલ ગાંધી)ના કારણે. રાહુલ ગાંધીની સંસદ સભ્યતા જવા અને તેમનું મકાન પાછું લેવામાં થયેલી કથિત ઉતાવળ પર તેમને સવાલ કરવામાં આવ્યો હતો.

આ સવાલ પર તેમણે કહ્યું કે, ઉતાવળ તો થઈ છે. તેમાં કોઈ શંકા નથી કે રાહુલ ગાંધીજી દરેક વખત પોતે જ કંટ્રોવર્સી ઉત્પન્ન કરે છે દરેક જગ્યાએ. બહાર જાય તો કન્ટ્રોવર્સી, અહીં જાય તો કંટ્રોવર્સી, આ તેમની ભૂલ છે. એક જ એજન્ડા પર 9-9 વર્ષ રહે છે. ભારતમાં હજુ પણ મોટી સમસ્યા છે. તેમની બાબતે ચર્ચાઓ કરતા નથી. આ એક સાઇડ છે, પરંતુ બીજી સાઈડ છે કે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જલદી જલદી કરી, સંસદ સભ્યતા રદ્દ કરવા માટે, મકાન લેવા માટે.

ગુલામ નબી આઝાદે કહ્યું કે, તેની માટે પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. મેં જો કંઈક બતાવ્યું છે તો એ ટીપ ઓફ ધ આઇસબર્ગ છે. રાહુલ ગાંધી બાબતે અને બીજી જે છે, આખું આઇસબર્ગ ક્યારેય નહીં બતાવું. રાહુલ ગાંધી માટે નફરત કેમ છે તમને? આ સવાલ પર તેમણે કહ્યું કે, વાત નફરતની નથી. મેં હજાર વખત કહ્યું છે કે હું ઈચ્છું છું તેઓ સ્વસ્થ રહે, તેઓ રાજનીતિમાં સફળ રહે. તેમાં તો પસંદ કર્યા જ હતા અમે, હું પણ હતો નેતા પસંદ કરવા માટે, પરંતુ જો દુનિયા સાંભળશે કે તેમણે રાજીનામું કેમ આપ્યું તો દંગ રહી જશે.

જો કે, આઝાદે રાજીનામાની કહાની સંભળાવવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે, કેટલીક વસ્તુ, કેટલાક કલ્ચર, કેટલીક રીત, કેટલીક વાતો અંદરની હોય છે તે ન કરવી જોઈએ, તે માણસનું કેરેક્ટર દર્શાવે છે. તેઓ એ જ બતાવશે જે તેમણે પુસ્તકમાં લખ્યું છે. જો પુસ્તકમાં લખ્યું છે અને પછી ન કહું તો ગુનેગાર છું. પુસ્તક સમજી વિચારીને લખી છે અને જે નથી કહેવું એ સમજી વિચારીને કહ્યું નથી. કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે આવાસ બચાવવા માટે તેમણે (આઝાદે) પલટી મારી છે?

તેના પર ગુલામ નબી આઝાદે કહ્યું કે, તેમાં જેટલા પણ કોંગ્રેસની નેતા છે, તેમને બતાવો કે દેશ માટે મચ્છરે પણ તેમને ડંખ માર્યો નથી. મને એક બતાવો. આ ગુલામ નબી આઝાદ છે. એટલે તો આજે AICCમાં તેઓ છે જે કલર્કીથી આવ્યા છે જે OSDથી આવ્યા છે. કોંગ્રેસી ઓરિજિનલ કેમ મારી વિરુદ્ધ બોલતા નથી, જે 70-80ના દશકના છે. કેમ નથી બોલતા કેમ કે તેઓ મારા હિસ્ટ્રી જાણે છે. એ સિવાય પણ ગુલામ નબી આઝાદે પોતાના ઇન્ટરવ્યૂમાં ઘણી વાતો કહી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.