જ્ઞાનવાપી: ઔરંગઝેબ ધાર્મિક હતો, તે મંદિર તોડીને મસ્જિદ ન બનાવી શકે: મુખ્ય ઇમામ

જ્ઞાનવાપી પરિસરમાં Archaeological Survey of India (ASI)એ ત્રીજા દિવસની તપાસ પુરી કરી લીધી છે. શનિવારે લગાતાર બીજા દિવસે ASIની ટીમે જ્ઞાનવાપી મસ્જિદના સેન્ટ્રલ હોલની તપાસ કરી જેથી એ વાતની જાણકારી મળી શકે કે 17મી શતાબ્દિની મસ્જિદનું નિર્માણ એક હિંદુ મંદિરના પહેલાથી મૌજુદ સંરચના પર કરવામાં આવ્યું છે કે નહીં. સર્વે દરમિયાન મુસ્લિમ પક્ષના 5 સભ્યો હાજર રહ્યા હતા. રવિવારે ત્રીજા દિવસે ASIની ટીમ જ્ઞાનવાપી પરિસર પહોંચી હતી. જ્ઞાનવાપી મસ્જિદના જનરલ સેક્રેટરી અને મુખ્ય ઇમામ મુફ્તી અબ્દુલ બાતિન નોમાનીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

જ્ઞાનવાપી મસ્જિદના મુખ્ય ઇમામ નોમાનીએ કહ્યું કે શનિવારે સર્વેનો બીજો દિવસ હતો અને અમે લોકોએ ASIની ટીમને પુરો સહયોગ આપ્યો છે. તંત્રએ અમારી જે કમટિના નામો સુચવ્યા હતા એ લોકો તપાસમાં સહયોગ કરી રહ્યા છે અને દિવસભર  ASIની ટીમ સાથે રહ્યા હતા.

કોર્ટ તરફથી ASIને સુચના આપવામાં આવેલી છે કે જ્ઞાનવાપી પરિસરમાં સર્વે દરમિયાન કોઇ પણ વસ્તુને અડકવાનું નથી, કોઇ તોડફોડ કરવાની નથી.ASIની ટીમ કોઇ પણ વસ્તુને અડક્યા વગર વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી રહી છે. આજે મંસ્જિદના અંદરના હિસ્સામાં સર્વે કરવામાં આવ્યો હતો, ASIની ટીમે જે માપ લેવાનું હતું, જે ફોટો-વીડિયો લેવાના હતા તે લીધા હતા. જ્યાં સુધી મુસ્લિમ પક્ષના વિરોધની વાત છે ત્યાં સુધી અમારો વિરોધ સર્વે વિશે નહોતો, પરંતુ સર્વે માટે જે રીત અપનાવાઇ રહી હતી તેનો વિરોધ હતો. અમારી વાત માનીને હવે સિસ્ટમ મુજબ કામ થઇ રહ્યું છે તો અમે પુરો સહયોગ આપી રહ્યા છે.

ઇમામને સવાલ પુછવામાં આવ્યો કે,  શું મંદિર તોડીને મસ્જિદ નહોતી બનાવવામાં આવી? તમારું શું માનવું છે? ઇમામે કહ્યુ કે આવું શક્ય જ નથી. ઈસ્લામમાં આવો કોઈ નિયમ નથી. આ ઔરંગઝેબે બનાવેલી મસ્જિદ છે. ખાસ કરીને ઔરંગઝેબ પાસેથી આ રીતની કોઇ અપેક્ષા રાખી શકાય નહીં. ઔરંગઝેબનો કેસ ઘણો અલગ હતો. તે ખૂબ ધાર્મિક હતો. તેથી તેમની પાસેથી મંદિર તોડીને મસ્જિદ બનાવવાની અપેક્ષા રાખી શકાય નહીં. જો કે, તેઓએ મસ્જિદોની સાથે મઠોને જમીન આપી છે. મંદિરોને જમીન આપવામાં આવી છે. આજે પણ તમે બનારસના મોટા મઠોમાં ઔરંગઝેબનો ફરમના જોઇ શકો છો.

ઇમામે કહ્યુ કે, મસ્જિદ હતી, મસ્જિદ છે અને મસ્જિદ જ રહેશે. આ કાયદો ઇસ્લામ ધર્મમાં બનેલો છે. જો કોઈ અજાણ્યા વ્યક્તિના ઘર પર ગેરકાયદેસર કબજો કરીને મસ્જિદ બનાવવામાં આવે તો તેને અમે મસ્જિદ માનતા નથી અને તેમાં નમાઝ પઢવી તે યોગ્ય માનવામાં આવતું નથી. ત્યાં મંદિર હોવાનો, સ્ટ્રક્ચરને તોડીને મસ્જિદ બનાવવાનો પ્રશ્ન જ નથી. જો તેઓને શંકા હોય. જો તેઓ દાવો કરે છે, તો તેઓએ તેમના સંતોષ માટે ASIના સર્વેની વાત કરી છે. કોર્ટે તેમની વાત માની છે, અમારા હિસાબે તો મસ્જિદ જ છે.  ASIના રિપોર્ટમાં શું સામે આવે છે તેની રાહ જોઇશું.

About The Author

Related Posts

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.