કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં શું છે સોનું કે પિત્તળ? આરોપ પર કમિટીનો જવાબ

કેદારનાથ મંદિરના તીર્થ પુરોહિત અને ચારધામ મહાપંચાયતના ઉપાધ્યક્ષ સંતોષ ત્રિવેદીએ કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવેલા સોનાના વરખ પર સવાલ ઉઠાવ્યા છે. યાત્રાધામના પૂજારીનો આરોપ છે કે સોનું પિત્તળમાં ફેરવાઈ ગયું છે અને તેની તપાસ થવી જોઈએ.બદરી-કેદાર ટેમ્પલ કમિટી (BKTC) એ એક પ્રેસ નોટ જારી કરીને કહ્યું કે સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે.

હકિકતમાં. ચારધામ મહાપંચાયતના ઉપાધ્યક્ષ અને કેદારનાથના વરિષ્ઠ તીર્થ પુરોહિત સંતોષ ત્રિવેદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડીયોમાં તીર્થ પુરોહિત કહી રહ્યા છે કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં જે સોનું લગાવવામાં આવ્યું હતું તે હવે પિત્તળમાં બદલાઇ ગયું છે.

તેમણે મંદિર સમિતિનો ઘેરાવ કરીને કહ્યું કે, ગર્ભગૃહમાં સોનાના વરખ લગાવવાના નામ પર સવા અરબ રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો છે. BKTC, સરકાર અને વહીવટીતંત્રમાં જે પણ આ કામ માટે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. BKTCએ સોનું લગાવતા પહેલા તેની તપાસ કરવી જોઈતી હતી.

તીર્થધામના પૂજારીઓ મંદિરની અંદર સોનાની સ્થાપનાનો સતત વિરોધ કરી રહ્યા હતા, તેમ છતાં આ કામ બળજબરીથી કરાવવામાં આવ્યું હતું. સોનાના નામે પિત્તળનું જ પાણી ચઢાવી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જો તપાસ બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો તીર્થ પુરોહિત ઉગ્ર આંદોલન કરશે.

બીજી તરફ, BKTCના એક્ઝિક્યુટિવ ઓફિસર આર.સી. તિવારીએ જારી કરેલા ખંડન પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહની દિવાલો અને આભૂષણો પર સોનાનો ઢોળ ચડાવવાનું કામ ગયા વર્ષે  એક દાનવીર દાતાના સહયોગથી કરવામાં આવ્યું હતું. હાલમાં સોશિયલ મીડિયામાં કેટલાક લોકો દ્વારા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનાની કિંમત એક અબજ 15 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. તથ્ય વગર ભ્રામક માહિતી પ્રસારિત કરીને જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

BKTC એ સ્પષ્ટતા કરી કે કેદારનાથ ગર્ભગૃહમાં 23,777.800 ગ્રામ સોનું સ્થાપિત કરવામાં આવ્યું છે, જેની વર્તમાન કિંમત 14.38 કરોડ છે. સોનાના જડિત કામ માટે ઉપયોગમાં લેવાતી તાંબાની પ્લેટનું કુલ વજન 1,001.300 કિગ્રા છે, જેની કિંમત રૂ. 29 લાખ છે. તેમણે કહ્યું કે, આ ભ્રામક માહિતી ફેલાવવા પર નિયમો અનુસાર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.