બાલાસોર દુર્ઘટના બાદ વધુ એક ટ્રેન દુર્ઘટના, ઓડિશામાં પાટા પરથી ઉતરી માલગાડી

ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના થઈ છે. ઓડિશાના બરગઢમાં માલગાડી દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ છે. માલગાડીની 5 બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ છે. માલગાડીમાં ચૂના પથ્થર લાદેલા હતા અને તેના 5 ડબ્બા બરગઢમાં પાટા પરથી ઉતરી ગયા. જોકે, દુર્ઘટનામાં કોઈને કોઈપણ પ્રકારનું નુકસાન નથી પહોંચ્યું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. ઈસ્ટ કોસ્ટ રેલવેનું પણ દુર્ઘટના પર નિવેદન આવ્યું છે. રેલવેએ જણાવ્યું કે, પ્રાઈવેટ સીમેન્ટ કંપની દ્વારા આ માલગાડીને ચલાવવામાં આવી રહી હતી. તે નેરો ગેજ સાઇડિંગ પર ચાલી રહી હતી. કંપની દ્વારા જ રોલિંગ, એન્જિન, વેગન, ટ્રેન ટ્રેક (નેરો ગેજ) સહિત તમામ પાયાના ઢાંચાની દેખરેખ કરવામાં આવી રહી છે.

આ અગાઉ શુક્રવારે ઓડિશામાં દર્દનાક રેલ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં અત્યારસુધી 275 લોકોનો જીવ જઈ ચુક્યા છે. જ્યારે, 1100 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 187 શવોની ઓળખ નથી થઈ શકી. બાલાસોરમાં બહાનગા બજાર સ્ટેશનની પાસે આ દુર્ઘટના બની હતી. અહીં ચેન્નઈથી હાવડા જઈ રહેલી 12841 કોરોમંડલ એક્સપ્રેસની લૂપ લાઇનમાં ઊભેલી માલગાડી સાથે ટક્કર થઈ ગઈ હતી. ત્યારબાદ કોરોમંડલના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ડબ્બાઓની પાસેની લાઇનમાંથી પસાર થઈ રહેલી યશવંતપુર હાવડા એક્સપ્રેસ સાથે ટક્કર થઈ ગઈ હતી.

રિપોર્ટ અનુસાર, બહાનગા બજાર રેલવે સ્ટેશનની પાસે માલગાડી લૂપ લાઇનમાં ઊભી હતી. દરમિયાન, ચેન્નઈથી હાવડા જઈ રહેલી 12841 કોરોમંડલ એક્સપ્રેસ બહાનગા બજાર સ્ટેશનની પાસે પહોંચી. કોરોમંડલ એક્સપ્રેસ સ્પીડથી મેન અપ લાઇનમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે તે મેન લાઇનથી લૂપ લાઇનમાં આવી ગઈ અને ત્યાં ઊભી રહેલી માલગાડી સાથે તેની ટક્કર થઈ ગઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને ત્રીજી લાઇનમાંથી પસાર થઈ રહેલી યશવંતપુર-હાવડા એક્સપ્રેસના ડબ્બા સાથે અથડાઈ ગયા. આ બંને ટ્રેનોના બહાનગા બજાર સ્ટેશન પર સ્ટોપેજ નથી. બંને જ ટ્રેન સ્પીડમાં હતી, એવામાં ટ્રેનના ડબ્બા એકબીજા પર ચડી ગયા. દુર્ઘટનામાં 275 લોકોના મોત થઈ ગયા.

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળ પર છે. તેમણે જણાવ્યું કે, ટ્રિપલ ટ્રેન એક્સિડન્ટમાં CBI તપાસમાં માંગ કરવામાં આવી રહી છે. જોકે, તેમણે દુર્ઘટનાના દિવસે દુર્ઘટનાનું કારણ ઇલેક્ટ્રિક પોઇન્ટ મશીન અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગને જણાવ્યું હતું. વૈષ્ણવે કહ્યું, પોઇન્ટ મશીનનું સેટિંગ બદલી દેવામાં આવ્યું હતું, એવુ કઈ રીતે અને શા માટે કરવામાં આવ્યું તે તપાસ રિપોર્ટમાં સામે આવશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.