તમારા પેન કાર્ડમાં છુપાયેલી જાણકારી મેળવી છે? નહીં મેળવી હોય તો આ વાંચી લો

પેન કાર્ડ વર્તમાન સમયમાં નાણાકીય વહેવારો માટે મુખ્ય સાધન છે. પેન કાર્ડનો ઉપયોગ ઓળખ તરીકે પણ થાય છે. જો તમે ઓર્ગેનાઇઝ સેકટરમાં કામ કરતા હો તો પગાર મેળવવા માટે પેન કાર્ડ હોવું જરૂરી છે. કેન્દ્ર સરકારે પેન કાર્ડના નિયમોમાં એવા બદલાવ કર્યા છે કે આજના સમયમાં મોટાભાગના લોકોએ પેન નંબર લેવો જ પડે છે. પેન નંબર એ 10 ડિજિટનો અલ્ફાન્યૂમેરિક નંબર હોય છે. જેને દરેક વ્યકિત સમજવા માંગે છે. તમારી પાસે પણ પેન કાર્ડ હશે, જેમાં જન્મની તારીખની નીચે પેન (Permanent Account Number) લખ્યો હોય છે. પેન કાર્ડપરના અલ્ફાન્યૂમેરિક નંબરોનો ખાસ મતલબ હોય છે અને એમાં ઘણી માહિતીઓ છુપાયેલી હોય છે.

પેન કાર્ડ પર જન્મતિથિની નીચે એક અલ્ફાન્યૂમેરિક નંબર લખેલો હોય છે. પેનની શરૂઆત અંગ્રેજીના કેટલાંક લેટર્સ સાથે થાય છે, જે મોટા મોટા અક્ષરોમાં લખ્યા હોય છે. આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ શરૂઆતના ત્રણ ડિજિટ અગ્રેંજી આલ્ફાબેટ સિરિઝને દર્શાવે છે. આ આલ્ફાબેટિક સીરિઝમાં AAAથી લઇને ZZZ સુધીમાં અંગ્રેજીના કોઇ પણ ત્રણ અક્ષરની સીરીઝ હોય શકે છે. એ આવકવેરા વિભાગ નક્કી કરે છે.

પેન કાર્ડમાં ચોથો અક્ષર કરદાતાના સ્ટેટસને દર્શાવે છે. મતલબ ચોથા સ્થાન પર જો  P લખ્યું હોય તો એ નંબર પર્સનલ છે એવું દર્શાવે છે એટલે કે વ્યકિતગત કાર્ડ છે. જો F લખ્યું હોય તો ફર્મનો પેન કાર્ડ છે. એ જ રીતે  C લખ્યું હોય તો કંપની, AOP  એટલે એસોસિયેશન ઓફ પર્સન,T એટલે ટ્રસ્ટ, H  અવિભાજીત હિંદુ પરિવાર (એચયુએફ),  B એટલે બોડી ઓફ ઇન્ડિવિઝયુઅલ, L  એટલે લોકલ, J   એટલે આર્ટિફિશિલ જયુડિશિયલ પર્સન,  G એટલે ગર્વમેન્ટ.

પેનનો પાંચમો ડિજિટ અંગ્રેજીનો એક અક્ષર હોય છે. એ પેન કાર્ડ ધારકની અટકનો પહેલો અક્ષર દર્શાવે છે. દા.ત. કોઇની અટક કુમાર કે ખુરાના હોય તો પેનનો પાંચમો ડિજિટ K  હશે.અટકના પહેલા અક્ષર પછી 4 અંક હોય છે. એ નંબર 0001થી 9999ની વચ્ચેનો કોઇ પણ આંકડો હોય છે. એ નંબર આવકવેરા વિભાગની ચાલી રહેલી સિરિઝને બતાવે છે.

પેન કાર્ડ ખુબ જ મહત્ત્વનો ડોકયુમેન્ટ છે, મોટે ભાગની જગ્યાએ પુરાવા તરીકે પાન કાર્ડ માંગવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.