ગુજરાતની ચૂંટણી પહેલા લોભામણી વાતો, શું ભાજપ પણ ‘મફતની રેવડી’ વેચશે?

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલા લોભામણી વાતોની લાઇન લાગી છે. સવાલ ઉઠે છે કે, શું રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પણ મતદાતાઓને રીઝવવાની કોશિશ પર પોતાની પકડ બનાવી રહી છે. રાજકીય વિશ્લેષકો અનુસાર, પાર્ટીઓ મોટી મોટી વાતો કરી રહી છે, કારણ કે, તેઓ પોતે પોતાના ગજવામાંથી નથી આપી રહી અને આખરે આ વાતોને પોતાના કરદાતાઓના પૈસાથી પૂરી કરી રહી છે.

વિશ્લેષકો અનુસાર, ભાજપે હજુ સુધી એ રસ્તો અપનાવ્યો છે કે, તે લોકોને મફતની રેવડીઓ વેચવાની દોડમાં શામેલ નથી અને મતદાતોને આમ આદમી પાર્ટીની વાતોમાં ન આવવા માટે ચેતવી રહી છે. આમ આદમી પાર્ટીની ચૂંટણી રાજકારણમાં અપેક્ષાકૃત નવી પાર્ટી છે. તેનું આખું અભિયાન ભાજપને સત્તાથી બહાર કરવા અને વર્ષના અંતમાં થનારી વિધાન સભા ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કરવા માટે વ્યાપક મતદાતાઓને આકર્ષવા માટે કેન્દ્રિત છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દર મહિને 300 યૂનિટ સુધી મફત વિજળી, સરકારી સ્કૂલોમાં ફ્રી શિક્ષણ, બેરોજગારી ભત્તુ, મહિલાઓને 1000 રૂપિયાનું ભત્તુ અને નવા વકીલોને માસિક વેતન આપવા જેવી કેટલિક વાતોના આશ્વાસન સાતે પાર્ટીના અભિયાનની શરૂઆત કરી છે. કેજરીવાલ જ્યારે પણ ગુજરાત આવે છે, મતદાતાઓને ઓછામાં ઓછી એક નવી ગેરેન્ટી આપીને જાય છે.

આમ આદમી પાર્ટીને હરાવવાની કવાયતમાં કોંગ્રેસ પણ મતદાતાઓને રિઝવવામાં અને સત્તા પર ફરી આવવા માટે લાંબા સમયથી જોવાઇ રહેલી રાહને ખતમ કરવા માટે લોભામણી વાતો કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા રાજ્યમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેમની પાર્ટી લોકોને દરેક સગવડો આપશે, જેની આમ આદમી પાર્ટીએ પણ વાત કરી છે. તે સિવાય, તેમણે 500 રૂપિયામાં રસોઇ ગેસના સિલિન્ડર આપવા, કોવિડ – 19 પીડિતોને ચાર ચાર લાખ રૂપિયાની રકમ આપવા અને ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધી કરજ માફીની વાત કરી છે.

હવે દરેકની નજર ભાજપ પર ટકેલી છે અને મોટો સવાલ એ છે કે, શું ગુજરાતમાં બે દાયકાથી વધારે સમયથી સત્તામાં બેઠેલી ભાજપ પણ મતદાતાઓને લોભમણી મફતની રેવડીઓ વેચવાની દોડમાં શામેલ થઇ ગઇ છે કે પછી તે કોઇ અલગ રસ્તો અપનાવશે. ગુજરાતના મતદાતા તેની રાહ જોઇ રહ્યા છે કે, ભાજપ તેમને શું ઓફર આપશે.

અમદાવાદના રહેવાસી કોમલ ચિડવાણીએ કહ્યું કે, આ વખતે અમારી પાસે વિકલ્પ છે કે, જે વધારે વાતો કરશે, તેને વોટ આપીશું. આ વાતોના કારણે આ વખતે અંતિમ વિકલ્પને પસંદ કરવો મુશ્કેલ હશે. રાજકીય વિશ્લેષક હરિ દેસાઇએ કહ્યું કે, દરેક દળ મફતની રેવડીઓ વેચી રહ્યા છે. ભાજપે પહેલા એમ કહ્યું કે, પાર્ટીઓ પોતાના ગજવામાંથી કંઇ નથી આપવાની, તેથી તેમના માટે મોટી વાતો કરવી સરળ છે. તેમણે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસને મતદાતાઓનું સમર્થન હાંસલ કરવા માટે લોભામણી વાતો કરવી એ જૂની વાત છે.

દેસાઇએ કહ્યું કે, ભાજપ નેતા કહે છે કે, તેઓ નિશુલ્ક વેક્સીન, ગરીબોને મફત કરિયાણું આપી રહ્યા છે. તેમણે કરદાતાઓના પૈસાથી આ કર્યું છે. કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે તેમણે ખેડૂતોના કરજ માફ કર્યા હતા અને કેટલીક મફતની રેવડીઓ વહેંચી હતી. તેમણ કહ્યું કે, ગુજરાતમાં મફતની રેવડીઓ વેચવાની ઘોષણાઓ શરૂ કરવા વાળી આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં પંજાબ સરકારની સ્થિતિ જુઓ. તે સરકારી કર્મચારીઓને સમય પર વેતન પણ નથી આપી શકતી. દેસાઇએ મતદાતાઓને ચેતેલા રહેવા માટે કહ્યું છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.