ગુજરાતીઓ માટે એલફેલ બોલી ભેરવાયો લાલુનો દીકરો, અમદાવાદની કોર્ટમાં આવવું પડશે

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. અમદાવાદની એક મેટ્રોપોલિટન કોર્ટે તેમને સમન્સ પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતીઓ માટે ‘ઠગ’ શબ્દનો ઉપયોગ કરવા પર તેજસ્વી યાદવ વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદકર્તાના વકીલ પ્રફુલ આર. પટેલે કહ્યું કે, કોર્ટે તેમને સમન્સ પાઠવીને 22 સપ્ટેમ્બરના રોજ ઉપસ્થિત થવા માટે કહ્યું છે. ફરિયાદકર્તાએ કહ્યું છે કે તેનાથી તેમને ઠેસ પહોંચી છે.

તેજસ્વી યાદવ પર આરોપ છે કે, તેમણે માત્ર ગુજરાતી જ ઠગ હોય શકે છે’વાળું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વર્તમાનમાં જે સ્થિતિ છે તેને જોવા જઈએ તો માત્ર ગુજરાતી જ ઠગ હોય છે અને તેમની છેતરપિંડીને માફ કરી દેવામાં આવશે. જો LIC અને બેન્કોમાંથી પૈસા મળ્યા બાદ તેઓ ભાગી જાય છે તો કોણ જવાબદર હશે? RJDના વરિષ્ઠ નેતા વિરુદ્ધ ગુનાહિત માનહાનિ માટે ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 499 અને 500 હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

કોર્ટે દંડ પ્રક્રિયા સંહિતા (CRPC)ની કલમ 202 હેઠળ તેજસ્વી યાદવ વિરુદ્ધ તપાસ કરી હતી. અમદાવાદ સ્થિત 69 વર્ષીય સામાજિક કાર્યકર્તા અને વ્યવસાયી હરેશ મેહતાએ આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ દ્વારા તેમને સમન્સ પાઠવવાનો પૂરતો આધાર મળ્યો હતો. હરેશ મેહતાએ આ વર્ષે 21 માર્ચના રોજ બિહારના પટનામાં મીડિયા સામે આપેલા તેજસ્વી યાદવના નિવેદનના પુરાવા કોર્ટમાં રજૂ કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદકર્તાએ કહ્યું કે, આખા ગુજરાતી સમુદાયને ‘ઠગ’ કહેવાવાળું નિવેદન મીડિયા સામે આપવામાં આવ્યું હતું. આ બધા ગુજરાતીઓને સાર્વજનિક રૂપે બદનામ અને અપમાનિત કરે. હરેશ મેહતાએ તેજસ્વી યાદવ વિરુદ્ધ સમન્સ જાહેર કરવા અને તેના માટે મહત્તમ સજાની માગ કરી છે. ફરિયાદકર્તાએ કહ્યું કે, તેઓ પણ એક ગુજરાતી છે અને જ્યારે તેમને ડિજિટલ પ્લેટફોર્મ પર આ સમાચાર જોયા તો અનુભવ થયો કે આ પ્રકારાના અપમાનજનક નિવેદનથી એક ગેર-ગુજરાતી રાજ્યના રહેવાસીઓને ઠગના રૂપમાં જોશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચમાં જ સુરતની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની મોદી સરનેમ સંબંધિત ટિપ્પણીને લઈને 2 વર્ષની સજા સંભળાવી હતી, જેના કારણે તેમને લોકસભાના સભ્યના રૂપમાં અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટે 4 ઑગસ્ટના રોજ તેમની દોષસિદ્ધિ પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ તેમની લોકસભાની સભ્યતા પાછી આપી દેવામાં આવી હતી. રાહુલ ગાંધી હાલમાં વાયનાડ સંસદીય ક્ષેત્રથી સાંસદ છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.