આ રાજ્યમાં ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવાયો, આરતીનું આયોજન

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આજે હિન્દુ મહાસભા નાથૂરામ ગોડસેના 114માં જન્મદિવસ પર વસ્તીમાં ફળ વિતરણ અને ગોડસેની તસવીર સામે મંદિર પર આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ જાણકારી મળ્યા બાદ પોલીસે રોકી લીધા. પોલીસ પહોંચવા અગાઉ ફળ વિતરણ થઈ ચૂક્યું હતું. ત્યારબાદ હિન્દુ મહાસભાના લોકો આરતી કરવા જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે રોકી લીધા. તેના કારણે હિન્દુ મહાસભાના પદાધિકારી ગોડસેની તસવીર લઈને દૌલતગંજ સ્થિત કાર્યાલય જતા રહ્યા.

ગોડસેની તસવીર લઈ જતી વખત રસ્તામાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું. પોલીસે પદાધિકારીઓને કહ્યું કે, ખુલ્લામાં નાથૂરામ ગોડસેની તસવીર નહીં લઈ જઈ શકો. ત્યારબાદ પોલીસે ફોટો લઈને કાગળમાં પેક કરી દીધો. ઉલ્લેખનીય છે કે, હિન્દુ મહાસભાના પદાધિકારી આ કાર્યક્રમ ગ્વાલિયરના દૌલતગંજમાં કરવા જઈ રહ્યા હતા. રોડ વચ્ચે નાથૂરામ ગોડસેની તસવીર સાથે જઈ રહેલા કાર્યકર્તાઓને પોલીસ રોકવા પહોંચી તો, ખેંચતાણ થવા લાગી.

પોલીસે હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓને કહ્યું કે, ગોડસેની તસવીર ખુલ્લામાં નહીં લઈ જઈ શકો, બંધ કરીને લઈ જાઓ. ત્યારબાદ ગોડસેની તસવીરને એક દુકાન સામે કાગળથી ઢાંકી દેવામાં આવી. આ બાબતને લઈને કોંગ્રેસના પ્રવક્તા સિદ્ધાર્થ સિંહ રાજાવતે કહ્યું કે, કર્ણાટકની જેમ મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસની સરકાર આવવા પર હિન્દુ મહાસભાને બેન કરી દેવામાં આવે. તેના માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નેતા પ્રતિપક્ષ અજય સિંહ રાહુલ ભૈયાને આવેદન આપ્યું છે.

તો કોંગ્રેસની બેન કરવાની બાબતે હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. જયવીર ભારદ્વાજે કહ્યું કે, કોંગ્રેસના જે નેતાએ આ વાત કહી છે તેમણે પોતાના મગજની તપાસ કરાવવી જોઈએ. હિન્દુ મહાસભાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કે નાથૂરામ ગોડસેની મૂર્તિ આખા દેશમાં લગાવવાની મંજૂરી આપવામાં આવે. હુજરાત કોતવાલી ગ્વાલિયર પોલીસ સ્ટેશનના પ્રભારી દામોદર ગુપ્તાએ કહ્યું કે, આજે કેટલાક લોકો દ્વારા ગોડસેનો જન્મદિવસ મનાવવાની જાણકારી મળી હતી.

તેને લઈને અમે ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા છીએ. સાર્વજનિક જગ્યાએ કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કરવા દેવામાં નહીં આવે. અંગત રીતે કાર્યક્રમ પોતાના ઘરમાં કરે છે તો કરે. જાણકારી મળી હતી કે, મોહલ્લામાં આ લોકો કોઈ કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા, આ દરમિયાન એક વ્યક્તિના હાથમાં તસવીર હતી, લોકો તેની પાછળ દોડી રહ્યા હતા. કોઈ પ્રકારનો વિવાદ ન થાય આ કારણે તસવીર ઢંકાવી દેવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.