જ્ઞાનવાપી કેસ: મસ્જિદ કમિટીએ કોર્ટમાં કહ્યું-ઔરંગઝેબ ન તો ક્રૂર હતો કે ન તો…

જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની એક માંગ સામે મસ્જિદ સમિતિએ આપત્તિ વ્યકત કરીને કહ્યું છે કે મુસ્લિમ શાસકો સામે ખોટું ચિત્રણ કરવામાં આવી રહ્યું છે. આવું કહેવાનો આશય માત્ર હિંદુ અને મુસલમાનો વચ્ચે નફરત પેદા કરવાનો છે. મુસ્લિમ સમિતિએ દાખલ કરેલી અરજી પર હવે કોર્ટે 7 જુલાઇએ સુનાવણી કરવાનું કહ્યું છે.

જ્ઞાનવાપી મસ્જિદના આખા પરિસરનો Archaeological Survey of India (ASI) પાસે સર્વે કરાવવાના આગ્રહ કરતી એક અરજી વારાણસી જિલ્લા અદાલત કરવામાં આવી છે. આ અરજી પર મુસ્લિમ પક્ષે પોતાની આપત્તિ રજૂ કરતી અરજી દાખલ કરી હતી. આ દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ કહ્યુ કે ન તો મોઘલ બાદશાહ ઔરંગઝેબ ક્રુર હતો કે ન તો તેણે વારાણસીમાં ભગવાન આદિ વિશ્વેશ્વરના મંદિરને તોડ્યું હતું.

જ્ઞાનવાપી મસ્જિદમાં ASIના સર્વે પર પોતાની આપત્તિમાં અજુમન ઇંતિજામિયા મસ્જિદ સમિતિએ હિંદુ પક્ષની દલીલમાં કરવામાં આવેલા એ દાવાનું ખંડન કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભગવાન આદિ વિશ્વેશ્વર મંદિર પર મુસ્લિમ આક્રમણકારોએ હુમલો કરીને મંદિરને નષ્ટ કરી દીધું હતું અને એ પછી 1580 ઇ.માં રાજા ટોંડલ મલે એ જ સ્થાન પર મંદિર બનાવ્યું હતું. કોર્ટે આગામી સુનાવણી માટે 7 જુલાઇની તારીખ નક્કી કરી છે.

મસ્જિદ સમિતિએ ગયા વર્ષે કોર્ટ તરફથી નિયુક્ત કરાયેલા કમિશ્નરના જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગની શોધનો પણ ઇન્કાર કર્યો છે. મસ્જિદ સમિતિએ કહ્યું કે જ્ઞાનવાપીમાં કોઇ શિવલિંગ મળ્યું નથી એ એક માત્ર ફુવારો છે. વારાણસીમાં બે કાશી વિશ્વનાથ મંદિરો નવા અને જુનાનો કોઇ ખ્યાલ નહોતો. ઉપરાંત મસ્જિદ સમિતિએ મુસ્લિમ શાસકોને આક્રમણકારો કહેતી હિંદુ પક્ષની દલીલ પર આપત્તિ વ્યકત કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ વાત હિંદુ- મુસલમાનો વચ્ચે નફરત પેદા કરવા માટે કહેવામાં આવી હતી.

મસ્જિદ કમિટીની અરજીમાં આગળ કહેવામાં આવ્યું છે કે, આ સ્થળ પર હાજર ઈમારત, જ્ઞાનવાપી મસ્જિદ, હજારો વર્ષોથી ત્યાં છે. તે ગઈ કાલે પણ મસ્જિદ હતી અને આજે પણ મસ્જિદ છે. વારાણસી અને આજુબાજુના જિલ્લાના મુસ્લિમો કોઈપણ પ્રતિબંધ વિના ત્યાં નમાઝ અદા કરી રહ્યા છે. દરમિયાન, વારાણસીની એક જિલ્લા અદાલતે મંગળવારે જ્ઞાનવાપી કેસ સાથે સંબંધિત સમાન પ્રકૃતિના સાત કેસોની સુનાવણી એકસાથે કરવાનો આદેશ આપ્યો હતો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.