'જ્ઞાનવાપી મંદિર કે મસ્જિદ નથી, બૌદ્ધ મઠ છે...', બૌદ્ધ ગુરુએ SCમાં અરજી કરી

વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે અલ્હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય આપતા ASIના સર્વેની મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં, 21 જુલાઈએ વારાણસી જિલ્લા ન્યાયાધીશે જ્ઞાનવાપીના ASI સર્વેનો આદેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષે ASI સર્વેના નિર્ણયને પહેલા સુપ્રીમ કોર્ટમાં અને પછી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હવે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું, ન્યાયના હિતમાં ASI સર્વે જરૂરી છે. તેને અમુક શરતો હેઠળ અમલમાં મૂકવાની જરૂર છે.

પરંતુ આ મામલે આજે નવો વળાંક આવ્યો, જ્યારે બૌદ્ધ ગુરુએ SCમાં દાવો કર્યો કે, તે તેમનો મઠ છે. બૌદ્ધ ગુરુએ સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરીને કહ્યું હતું કે, જ્ઞાનવાપી એ મંદિર કે મસ્જિદ નથી પરંતુ બૌદ્ધ મઠ છે. બૌદ્ધ ધર્મના ગુરુ સુમિત રતન ભંતેના જણાવ્યા અનુસાર, દેશમાં એવા ઘણા મંદિરો છે, જે બૌદ્ધ મઠોને તોડીને બનાવવામાં આવ્યા હતા. જ્ઞાનવાપીમાં જોવા મળતા ત્રિશુલ અને સ્વસ્તિક પ્રતીકો બૌદ્ધ ધર્મના છે. કેદારનાથ અથવા જ્ઞાનવાપીમાં જે જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે તે બૌદ્ધ ધર્મનો સ્તૂપ છે. જ્ઞાનવાપી એ મસ્જિદ કે મંદિર નથી પણ બૌદ્ધ મઠ છે.

સુમિત રતન ભંતેએ દેશમાં બૌદ્ધ મઠોની શોધ શરૂ કરી છે. તેઓએ કહ્યું કે, અમે એક નવી શોધ શરૂ કરી છે કે, જૈન અને બૌદ્ધ મઠોને તોડીને મંદિરો કે અન્ય ધાર્મિક સ્થળો બનાવવામાં આવ્યા છે. તમામ મંદિરો અને મસ્જિદો તેમના મૂળ સ્વરૂપમાં આવવા જોઈએ. બૌદ્ધ મઠમાંથી જ્યાં જ્યાં પણ તેમનું સ્વરૂપ બદલવામાં આવ્યું છે. બૌદ્ધ મઠો તેમના મૂળ સ્વરૂપમાં પાછા આવવા જોઈએ. સુમિત રતને કહ્યું કે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પણ આવું જ ઇચ્છે છે.

આ સાથે તેમણે કહ્યું કે, અમે કેદારનાથ, બદ્રીનાથ અને અન્ય મંદિરોને લઈને પણ અરજી દાખલ કરીશું. સનાતન બૌદ્ધ ધર્મ સૌથી જૂનો છે. જ્ઞાનવાપી અંગે તેમણે જણાવ્યું હતું કે, ASI યોગ્ય રીતે સર્વે કરે તો માત્ર બૌદ્ધ મઠ જ મળશે અને જો મળે તો જ્ઞાનવાપી અમને સોંપી દો.

બૌદ્ધ ધર્મના ગુરુ અનુસાર, ઇસ્લામ 1500 વર્ષ પહેલાં આવ્યો હતો અને હિંદુ ધર્મ 1200 વર્ષ પહેલાં આવ્યો હતો. પરંતુ બૌદ્ધ ધર્મ અઢી હજાર વર્ષ પહેલાનો છે. દેશમાં પરસ્પર મતભેદની જે પરંપરા શરૂ થઈ છે, તે યોગ્ય નથી. તેમણે કહ્યું કે બૌદ્ધ મઠોનો પણ સર્વે કરીને બૌદ્ધ સમાજને પરત કરવામાં આવે. જો નિર્ણય યોગ્ય રીતે કરાયો હોતે તો ત્યાં બૌદ્ધ મઠ હોત.

અહીં તમને જણાવી દઈએ કે, અલ્હાબાદ હાઈકોર્ટે આજે જ કહ્યું કે, ન્યાયના હિતમાં ASI સર્વે જરૂરી છે. તેને અમુક શરતો હેઠળ અમલમાં મૂકવાની જરૂર છે. વાસ્તવમાં, જિલ્લા ન્યાયાધીશ A.K. વિશ્વેશે શુક્રવારે મસ્જિદ પરિસરનો વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ASIએ સર્વેનો રિપોર્ટ 4 ઓગસ્ટ સુધીમાં વારાણસીની જિલ્લા અદાલતમાં જમા કરાવવાનો હતો. આ આદેશ પછી સોમવારે ASIની ટીમ તેનો સર્વે કરવા જ્ઞાનવાપી પહોંચી હતી. પરંતુ મુસ્લિમ પક્ષે આ સર્વે પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સર્વે પર બે દિવસનો સ્ટે આપતા કોર્ટે મસ્જિદ કમિટીને હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ પછી મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી બાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી.

મુસ્લિમ પક્ષે ASI સર્વેક્ષણને મંજૂરી આપતા અલ્હાબાદ હાઈકોર્ટના આજના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મસ્જિદ કમિટીએ હાઈકોર્ટના આદેશને પડકારતી વિશેષ પરવાનગી અરજી દાખલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ પહેલેથી જ આવતીકાલે મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાની છે, જેમાં હાઇકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો, જેણે હિન્દુ અરજદારો દ્વારા દાખલ કરાયેલા દાવાની જાળવણીને સમર્થન આપ્યું હતું.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.