તુનિષા આપઘાત કેસ: શીજાને કહ્યું- મુસલમાન છું એટલે ધરપકડ થઈ, મને ઉર્દુ આવડતી નથી

તુનિષા આત્મહત્યા કેસમાં દરરોજ નવી વાત બહાર આવી રહી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી શીજાને ઇમોશનલ કાર્ડ રમ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શીજાને કોર્ટમાં પોતાના બચાવમાં કહ્યું છે કે જો તે મુસ્લિમ ન હોત તો કદાચ તે બચી ગયો હોત. શીજાને કહ્યુ કે તેની ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કારણ કે તે મુસ્લિમ ધર્મમાંથી આવે છે. શીજાને કોર્ટમાં કરેલી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

શીજાનના કહેવા પ્રમાણે, તે અને તેની બહેનને ઉર્દુ આવડતું નથી તેથી તેઓ તુનીષાને ઉર્દૂ બોલતા કેવી રીતે શીખવી શકે. શીજાનના વકીલનું કહેવું છે કે તુનિષા સાથેના બ્રેકઅપ બાદ પણ બંને વચ્ચેના સંબંધો સામાન્ય હતા, તેથી તુનિષાની આત્મહત્યા સાથે શીજાનને કોઈ લેવાદેવા નથી.

જામીન અરજીની સુનાવણી દરમિયાન શીજાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે,શીજાન કે તેની બહેનને ઉર્દુ આવડતું નથી, તો તેઓ તુનિષાને ઉર્દુ કેવી રીતે શિખવી શકે. શીજાન પોતે ડાયરેકટર્સની લખેલી લાઇન વાંચે છે.

જ્યાં સુધી હિજાબની વાત છે તો એક શૂટ દરમિયાન બંનેએ હિજાબ પહેર્યો હતો. આ કેસને લવ જેહાદનો એંગલ આપી દેવામાં આવ્યો છે અને શીજાન મુસલમાન છે એટલે તેની ધરપકડ કરવામાં આવી છે.

બીજી તરફ અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી અને મોનિકા જાધવ કેસનો સંદર્ભ આપતા તુનિષાના વકીલે કહ્યું છે કે જ્યાં સુધી તપાસ અધિકારી ઇચ્છે ત્યાં સુધી આરોપીને જામીન આપી શકાય નહીં. તુનીશાના વકીલે જજની સામે કહ્યું છે કે જો શીજાનને જામીન મળે છે તો તે પુરાવા સાથે ચેડા કરી શકે છે.તુનિષાના વકીલનું કહેવું છે કે તેમની પાસે આવી 21 પુરાવા  છે જે દર્શાવે છે કે શીજાને તુનિષાનો ઉપયોગ કર્યો હતો અને તેણીને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી કોર્ટે શીજાનના વકીલે રજૂ કરેલી જામીન અરજીને ફગાવી દીધી છે.

તુનિષાએ 24 ડિસેમ્બરે શૂટિંગના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાએ આત્મહત્યા કર્યાના કલાકો પછી, તેણીની માતાની ફરિયાદના આધારે તેણીના સહ કલાકાર શીઝાન મોહમ્મદ ખાનની પોલીસે ધરપકડ કરી હતી.

આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધીને શીજાનને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. શીજાનની જામીન અરજી પર આજે સુનાવણી થઇ હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.