વિદ્યાર્થીઓને નમાઝ વંચાવવાનો આરોપ લાગ્યા બાદ શાળાનો પ્રિન્સિપાલ સસ્પેન્ડ

એક હિન્દુવાદી નેતા દીપક શર્માના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શન બાદ ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ખાનગી શાળાના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દીધો છે. પ્રદર્શનકારીઓનો દાવો છે કે શાળામાં વિદ્યાર્થીનોને નમાજ વાંચવા માટે કહેવામાં આવ્યું હતું. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, વિરોધ પ્રદર્શન બુધવારે થયું હતું અને તેમાં કથિત રૂપે હિન્દુવાદી કાર્યકર્તા અને વિદ્યાર્થીઓના માતા-પિતા સામેલ હતા, જેમણે આરોપ લગાવ્યો હતો કે, બુરખો પહેરવા અને નમાજ માટે મજબૂર કરવામાં આવી રહ્યા હતા.

બુધવારે વિરોધ પ્રદર્શન દરમિયાન શર્માના નેતૃત્વમાં ઘણા વાલીઓએ શાળા બહાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. હું ધર્મનિરપેક્ષ નથી, BLS ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ, ચેરમેન અને સ્ટાફ માફી માગે અને બાળકોને હનુમાન ચાલીસા ભણાવો, હિન્દુ ધર્મ બચાવો’ જેવા પોસ્ટર શાળાના ગેટ પર ચોંટાડી દીધા હતા. BLS ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટે આ પ્રકારની કોઈ પણ ગતિવિધિનો ઇનકાર કરતા કહ્યું કે, માત્ર વિશ્વ વારસા દિવસ અને 18 એપ્રિલના રોજ એક વિશેષ સભામાં ઈદ મનાવી રહ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓએ અલગ અલગ ધાર્મિક અને લોકતાંત્રિક સંસ્થાઓની ભૂમિકા ભજવી હતી.

જો કે, હાથરસના SDM આશુતોષનું કહેવું છે કે પ્રિન્સિપાલ સોનિયા મેકફર્સનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે. હાથરસના DM અર્ચના વર્માએ શાળા મેનેજમેન્ટ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યો છે. DM તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ધ્યાને આવ્યું છે કે હાથરસના અલીગઢ રોડ સ્થિત BSL ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને નમાજ વંચાવવામાં આવી, જેથી જેથી માતા-પિતા નારાજ છે. ઘટનાને ગંભીરતાથી જોતા તપાસ જરૂરી છે.

SDM અને હાથરસ જિલ્લા વિદ્યાલય નિરીક્ષકને તપાસ સમિતિનું નેતૃત્વ કરવા અને 5 દિવસની અંદર એક રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે. બુધવાર દીપક શર્માના નેતૃત્વમાં માતા-પિતા અને દક્ષિણ પંથી નેતાઓના એક ગ્રુપે BLS ઇન્ટરનેશનલ સ્કૂલ બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને દાવો કર્યો કે, શિક્ષકો અને પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને પરિસરની અંદર નમાજ વાંચવા માટે મજબૂર કર્યા. પ્રદર્શનકારીઓએ એવો પણ દાવો કર્યો કે, બાળકોને બુરખા પહેરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમને સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ FIR નોંધવાની માગ કરી છે.

આરોપોથી ઇનકાર કરતા શાળા મેનેજમેન્ટે કહ્યું કે, તેઓ માત્ર વિશ્વ વરસ દિવસ અને ઈદ મનાવી રહ્યા હતા. રિપોર્ટ્સ મુજબ શાળા મેનેજમેન્ટે એક નિવેદનમાં કહ્યું કે, 18 એપ્રિલના રોજ એક વિશેષ સભ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમણે ભારતીય તહેવારો બાબતે જાગૃત કરવા માટે સંગીત, નૃત્ય અને નાટકનું આયોજન કર્યું હતું. સભા વિશ્વ વારસા દિવસ અને ઈદની થીમ હતી. વિદ્યાથીઓએ શિવાજી મહારાજ, ફાતિમા શેખ, લોકતંત્રના પ્રતિક, કેથેડ્રલ ચર્ચ, તાજમહલ અને એલિફન્ટા ગુફાઓની ભૂમિકા ભજવી, જેથી બધાને વારસા અને મહાન હસ્તીઓથી અવગત કરી શકાય. તેમણે એ આ પરફોર્મ કર્યું અને ગીત ગયા હતા.

તેમણે કહ્યું કે, કેટલાક લોકો આ સોંગને ફાતિહા કે નમાજનું નામ આપીને ભરમાવવાનો પ્રયાસ કર્યો અને ખોટી અફવા ફેલાવી. એવું જરાય નથી. શાળા આ વાતથી પૂરી રીતે ઇનકાર કરે છે. આ બધુ કેટલાક લોકો દ્વારા શાળાની છબી ખરાબ કરવાના ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યું. શાળામાં એવું કશું જ થયું નથી. આ શાળાની વિશેષ સભામાં આયોજિત એક સામાન્ય કાર્યક્રમ હતો. મેનેજમેન્ટે પ્રિન્સિપાલ સોનિયા મેકફર્સનને તાત્કાલિક પ્રભાવથી પદ પરથી સસ્પેન્ડ કરી દીધી છે. શાળાની એક આંતરિક સમિતિ અને પ્રશાસનિક સમિતિની રચના કરવામાં આવી છે જે ઘટના સંબંધમાં પોતાની તપાસ રિપોર્ટ પ્રસ્તુત કરશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.