એક સાથે 51000 લોકોના હનુમાન ચાલીસાના અઢી લાખથી વધુ પાઠ, 182 દેશમાં સીધું પ્રસારણ

ઈન્દોરે ફરી એક વખત ઇતિહાસ રચી દીધો દીધો છે. પિતૃ પર્વત પર શનિવારે સાંજે 51 હજાર લોકોએ હનુમાનજીની વિશાળ પ્રતિમા સામે બેસીને હનુમાન ચાલીસાના અઢી લાખ કરતા વધુ પાઠ કર્યા છે. આ આયોજનનું સીધું પ્રસારણ 182 દેશોમાં કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં શ્રીશ્રી રવિશંકર પણ સામેલ થાય હતા. આખા દેશમાં સૌથી સ્વચ્છ શહેર માટે જાણીતું ઈન્દોર શહેર હંમેશાં નવાચાર કરવામાં અગ્રેસર રહે છે. આ કડીને આગળ વધારતા ઈન્દોર શહેરે ફરી એક વખત ઇતિહાસ રચી દીધો છે.

આ વખત આધ્યાત્મિક ઊર્જાથી તરબોળ કરી દેનારો કાર્યક્રમ અહલ્યાની પાવન નગરી ઈન્દોરના પિતૃ પર્વત હનુમાનજીની વિશાળ મૂર્તિ સામે વિશાળ હનુમાન ચાલીસના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા મહામંડળેશ્વર અને સંત સામેલ થાય હતા.

તો હનુમાન ચાલીસાના પાઠની શરૂઆત દેશના પ્રસિદ્ધ સિંગર સુરેશ વાડકરે કરી, જેનો સાથ જ ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ આપ્યો હતો. આ કાર્યક્રમ શનિવારે સાંજે કરવામાં આવ્યો હતો, જેને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકરના સાંનિધ્યમાં 51 હજાર લોકોએ એક સાથે શ્રી હનુમાન ચાલીસાના અઢી લાખ પાઠ કર્યા.

તેનું સીધું પ્રસારણ 182 દેશોમાં કરવામાં આવ્યું, જ્યાં આર્ટ ઓફ લિવિંગ કાર્યરત છે. આ આયોજનને લઈને કૈલાશ વિજયવર્ગીય પોતે જોડાયા હતા. આ વિશાળ આયોજન માટે પિતૃ પર્વત પર 10 ઝોન બનાવવામાં આવ્યા હતા. આ બધા ઝોનોના નામ રામાયણના અલગ-અલગ ચરિત્રોના નામ જેમ કે સીતા, ભરત, લક્ષ્મણ, દશરથ, માતા કૌશલ્યા વગેરે આપવામાં આવ્યા છે. દરેક ઝોનમાં 5 હજાર લોકોની બેસવાની વ્યવસ્થા ‘જે પહેલા તે વહેલા’ની જેમ કરવામાં આવી છે.

અહી આવનારા હનુમાન ભક્તો માટે લગભગ 60 હજાર ભોજન પ્રસાદી પેકેટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. વૃદ્ધો માટે અલગથી ખુરશીઓ પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હનુમાન ચાલીસાના પાઠના અવસરને સંબોધિત કરતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, મને આજના યુવાનોમાં વિકૃતિ નજરે પડી રહી છે. મોટા ભાગના યુવાનો કોઈક ને કોઈક પ્રકારનો નશો કરવા લાગી જાય છે. અમે યુવાઓને નશાથી દૂર રાખવા માટે આ આયોજન કરી રહ્યા છીએ. આ પ્રકારના આયોજનોથી યુવાઓના મનમાં ભગવાન પ્રત્યે સમર્પણની ભાવના જાગે છે.

આગામી સમયમાં સંતોના સાનિધ્ય આપણે સંકલ્પ લઈશું કે, દરેક મોહલ્લામાં એક હનુમાન ચાલીસા ક્લબ બને અને લોકો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે. કૈલાશ વિજયવર્ગીયએ મંચ પરથી લોકોને પૂછ્યું કે, શું તમે સંકલ્પ લેવા તૈયાર છો? આપણે યુવાઓને નશાથી દૂર કરવા માટે સકારાત્મક એનર્જીથી જોડીશું. હનુમાનજી એક પાવર હાઉસ છે, જ્યારે યુવાઓ પાવર હાઉસ સાથે જોડાઈ જશે અને ભક્તિના નશામાં ડૂબી જશે તો બહારનો નશો નહીં કરે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.