કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું આ રાજ્યમાં સરકાર બની તો 11.80 રૂ. સસ્તું થશે પેટ્રોલ

પેટ્રોલની કિંમતોમાં ઘણા લાંબા સમયથી કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. એવામાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી તરફથી મોટી જાણકારી સામે આવી રહી છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, જો 25 નવેમ્બરે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતે છે તો રાજસ્થાનમાં પેટ્રોલની કિંમતોમાં કમી આવી શકે છે. રાજસ્થનામાં પેટ્રોલ ઓછામાં ઓછું 11.80 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થશે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ જયપુરમાં એક ચૂંટણી કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, ‘મને પૂછવામાં આવી રહ્યું છે કે, જો રાજસ્થાનમાં ભાજપ સત્તામાં આવે છે તો રાજ્યમાં શું બદલાવ આવશે?

તેમણે કહ્યું કે, સૌથી પહેલા મને વિશ્વાસ છે કે ભાજપ આગળ છે. અહી સરકાર બનવાનું નિશ્ચિત છે અને એક વખત જ્યારે અમે સત્તામાં આવીશું તો અમે રાજસ્થાનમાં પેટ્રોલની કિંમત દેશના બાકી 10 હિસ્સાઓ (વિપક્ષ શાસિત રાજ્યોને છોડીને) બરાબર લાવવા માટે કામ કરીશું. રાજસ્થાનમાં પેટ્રોલ સસ્તું થશે, જો અમે ચૂંટણી જીતી જઈએ છીએ, તો ઓછામાં ઓછા 11.80 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થશે. હરદીપ સિંહ પુરીએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં કોંગ્રેસ સરકાર દ્વારા લગાવવામાં આવેલા અતિરિક્ત કરના કારણે રાજસ્થાનમાં પેટ્રોલની કિંમત દેશમાં સૌથી વધુ છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલ અને ડીઝલ પર અતિરિક્ત ચાર્જથી 35,975 કરોડ રૂપિયા એકત્ર કર્યા.

છેલ્લા બે વર્ષોમાં રાજસ્થાન સરકારે નવેમ્બર 2021-22 અને વર્ષ 2022-23 સુધી પેટ્રોલ અને ડીઝલ પર અતિરિક્ત ચાર્જથી 35,975 કરોડ રૂપિયાનો ટેક્સ ખૂબ લીધો છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, માત્ર રાજસ્થાનથી 18 અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મળાવીને 2,000 કરોડ રૂપિયાથી વધુ જમા કર્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તુલનામાં ફ્યૂલ પર ટેક્સ કલેક્શન ખૂબ વધારે છે. પ્રેસ રીલિઝમાં પુરીના સંદર્ભે કહેવામાં આવ્યું કે, દલ્હી, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, મણિપુર, લદ્દાખ, દમણ અને દીવ, જમ્મુ-કાશ્મીર સહિત આ 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું ટેક્સ કલેક્શન 32,597 કરોડ રૂપિયા છે.

મંત્રી હરદીપ સિંહ પુરીએ ચૂંટણી રાજ્ય રાજસ્થાનમાં કહ્યું કે, આજે આખા દેશમાં પેટ્રોલો એવરેજ દર 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. પરંતુ રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલની હાલની કિંમત 113.34 રૂપિયા પ્રતિ લિટર છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર વધારે ટેક્સ લગાવવાના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવેદન પર પલટવાર કરતા તેમણે કહ્યું કે, તેમને પહેલા પોતાના રાજ્યોના મામલા જોવા જોઈએ. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી બાદ મતગણતરી 3 ડિસેમ્બરે થશે. વર્ષ 2018ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 99 સીટો જીતી, જ્યારે 200 સભ્યોની સદનમાં ભાજપને 73 સીટો મળી હતી. અંતે BSP ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોનાં સમર્થનથી ગેહલોતે મુખ્યમંત્રી પદના શપથ લીધા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.