શિવમંદિરમાં ઘેરી લેવાયા હતા 2500 લોકો, લેડી સિંઘમ ગણાતા IPS મમતા સિંહે બચાવ્યા

PC: oneindia.com

ગુરુગ્રામમાં, ટોળાએ એક મસ્જિદ પર હુમલો કર્યો, તેના નાયબ ઈમામની હત્યા કરી. આ સાથે હરિયાણાના નૂહ જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા શોભા યાત્રાને રોકવાનો પ્રયાસ કરતી વખતે ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક વધીને પાંચ થઈ ગયો છે. પોલીસના અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

આવી તંગ પરિસ્થિતિમાં નૂહ જિલ્લામાં યાત્રા દરમિયાન હિંસામાં નલ્લાહડ મંદિરમાં ફસાયેલા 2500 લોકોને બચાવવામાં લેડી સિંઘમ  તરીકે જાણીતા  Additional Director General of Police  (કાયદો અને વ્યવસ્થા) મમતા સિંહએ સફળતા મેળવી હતી, તેમની બહાદુરી અને હિંમત ખૂબ પ્રશંસા થઈ રહી છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે પણ તેમની હિંમતની પ્રશંસા કરી અને જણાવ્યું કે કેવી રીતે ADG મમતા સિંહે આ કામ કર્યું.

 

હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું, જ્યારે મંદિરમાં મોટી સંખ્યામાં લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા. અહીંથી નીકળવું ખૂબ મુશ્કેલ હતું. જવાબદાર લોકોએ મંદિરની અંદરથી જ મને ગૂગલ લોકેશન મોકલ્યું હતું. જ્યારે મેં પ્રશાસનને આ વાત કહી તો મમતા સિંહે ખૂબ હિંમતથી પોલીસ દળનું નેતૃત્વ કર્યું. તેમણે બધા લોકોને બચાવ્યા.

મેવાતના નલ્લાહડમાં ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર છે. જે શોભાયાત્રા નીકળી હતી તે પહાડોથી ઘેરાયેલા આ મંદિર સુધી જ પહોંચવાની હતી. શોભાયાત્રાના અંતના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો, મોટાભાગે મહિલાઓ અને બાળકો, મંદિર પરિસરની અંદર હાજર હતા. આ તમામ લોકો યાત્રાની અહીં પહોંચવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તે દરમિયાન એક જૂથે સરઘસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.

એટલા માટે વહીવટીતંત્રે અહીં સેંકડો લોકોને રાખ્યા હતા.કારણ કે જો તે સમયે લોકો મંદિરમાંથી બહાર આવ્યા હોત તો તેઓ તોફાનીઓનો શિકાર બની શક્યા હોત. મંદિરથી અડધો કિલોમીટર દૂર તોફાનીઓએ સેંકડો વાહનોને આગ ચાંપી દીધી હતી. અન્ય સમુદાયના લોકોને જોઈને તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા.

આ પછી, મંદિરમાંથી લોકોને બહાર કાઢવાનું મિશન શરૂ કરવામાં આવ્યું અને ADGP મમતા સિંહના નેતૃત્વમાં સેંકડો મહિલાઓ, બાળકો અને પુરુષોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.

મમતા સિંહ 1996 બેચના IPS ઓફિસર છે. ડોક્ટર બનવા માટે અભ્યાસ છોડીને પોલીસ સેવામાં જોડાઈ ગયેલા મમતા સિંહ કાયદો અને વ્યવસ્થાને લઈને ખૂબ જ કડક છે. IPS મમતા સિંહ  બાબા રામ રહીમની ખાસ ગણાતી હરમનપ્રીત સિંહ સાથેના વ્યવહારને લઈને પણ ચર્ચામાં  રહ્યા હતા.

મમતા સિંહને રાષ્ટ્રપતિ તરફથી મેડલ પણ મળ્યો છે. આ સિવાય માનવાધિકાર આયોગની અનેક તપાસમાં તેમના યોગદાન માટે સુપ્રીમ કોર્ટે પણ મમતા સિંહની પ્રશંસા કરી ચૂક્યું છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ADGP મમતા સિંહે કહ્યું કે હિંસાથી નૂહ સૌથી વધુ પ્રભાવિત છે. નૂહની બહાર કોઈ મોટી ઘટના બની નથી. આ મામલે FIR નોંધવામાં આવી છે. આ અંગે તપાસ ચાલી રહી છે. અમે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp