લગ્ન કરવા 14 વર્ષની મામાની દીકરીને લઈને ભાગી ગયો, બીજા દિવસે બાળકીની લાશ મળી

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 25 વર્ષીય યુવકને તેના મામાની 14 વર્ષની સગીર પુત્રી સાથે પ્રેમ થઈ ગયો હતો. લગ્ન કરવાની જીદ પર બંને 20 ડિસેમ્બરના રોજ ઘરેથી ભાગી ગયા હતા. પરંતુ બીજા જ દિવસે છોકરીની લાશ રેલવે ટ્રેક પર પડેલી મળી આવી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોસ્ટમોર્ટમ બાદ પોલીસે છોકરીના મૃતદેહને પરિજનોને સોંપી દીધો છે. ઘટના બાદથી આરોપી યુવક ફરાર છે, પોલીસ તેને પકડવા પ્રયાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે, ગોવિંદ નગરમાં રહેતો વિશાલ તેના મામાની છોકરી સાથે પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. 20 ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીની કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરવા ગઈ હતી અને ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. ત્યારબાદ છોકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને તેના સાળાના પુત્ર વિશાલ પર પુત્રીના અપહરણની આશંકા વ્યક્ત કરી હતી. કારણ કે બંને ઘણીવાર સાથે રહેતા હતા.

ફરિયાદ મળ્યા પછી, પોલીસે છોકરીને શોધવાનું શરૂ કર્યું અને 21 ડિસેમ્બરના રોજ રેલવે ટ્રેક પર તેની લાશ મળી. પોલીસે તાત્કાલિક છોકરીના પરિવારજનોને જાણ કરી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, છોકરીના અંતિમ સંસ્કારના 5 દિવસ બાદ તેના સંબંધીઓએ FIR નોંધાવી હતી. જે બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, સંબંધીઓને આ બંનેના પ્રેમપ્રકરણની જાણ હતી.

મૃતક છોકરીના પરિજનોનો આરોપ છે કે, શરીર પર ઉંડી ઈજાના નિશાન હતા. જ્યારે, પોલીસનું કહેવું છે કે, આ નિશાન ટ્રેન સાથે અથડાયા પછી થયા હોવા જોઈએ. પોલીસે આરોપીની સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે. પરંતુ આરોપી હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. પોલીસ એવો દાવો કરી રહી છે કે આરોપીને જલ્દી પકડી લેવામાં આવશે.

આ અંગે ADCP સાઉથ અંકિતા શર્માનું કહેવું છે કે, 14 વર્ષની બાળકી 20મીએ ઘરેથી કોચિંગ ક્લાસમાં ગયા બાદ ગુમ થઈ હતી, 21મીએ તેની લાશ રેલવે લાઈનની નજીકથી મળી આવી હતી. મૃતક યુવતીના પિતાએ તેના સાળાના પુત્ર વિરુદ્ધ અપહરણ અને હત્યાનો કેસ દાખલ કર્યો છે. પોલીસ દ્વારા આ મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે અને હત્યાના ચોક્કસ કારણોનો પણ ખુલાસો કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.