શું ફરીથી મુખ્યમંત્રી બનશો? જેલથી નીકળ્યા બાદ હેમંત સોરેને આપ્યો જવાબ

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપ પર તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપનો રાજ્યમાંથી સફાયો થઈ જશે. એક ટી.વી.ને આપેલા ઇન્ટરવ્યૂમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM) નેતા હેમંત સોરેને કહ્યું કે, તેમના પિતા, પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન આ તેમની પાર્ટીના અન્ય લોકોને ખૂબ ખરાબ સમયમાંથી પસાર થવું પડ્યું છે. પોતાની ધરપકડ પર ભાજપ પર પ્રહાર કરતા સોરેને કહ્યું કે, એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. ગરીબો, આદિવાસીઓ અને ખેડૂતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, રાજ્યના લોકોએ બધુ જોયું છે અને નવેમ્બરની આસપાસ થનારી ચૂંટણીમાં પતાની નારાજગી દેખાડશે. ઝારખંડમાં JMMના નેતૃત્વવાળા ગઠબંધનનું શાસન છે, જેના 27 ધારાસભ્ય છે. ત્યારબાદ કોંગ્રેસ છે જેના 18 ધારાસભ્ય છે. ગઠબંધન જે INDIA ગઠબંધનનો હિસ્સો છે. RJD અને CPI (માર્ક્સવાદી-લેનિનવાદી) લિબરેશન પણ સામેલ છે, જેમની પાસે 1-1 સીટ છે. જેલમાં વિતાવેલા સમય બાબતે પૂછવા પર JMM નેતાએ કહ્યું કે, અમારી પાર્ટી પ્રમુખ શિબુ સોરેન અને પાર્ટીના ઘણા અન્ય નેતાઓએ વધારે મુશ્કેલ લડાઈ લડી છે.

વસ્તુઓને સમજવા અને મારી વિરુદ્ધ રચેલા ષડયંત્રને સમજવાનો અવસર મળ્યો. જે કેસોમાં તેમનું નામ છે તેના પર તેમણે કહ્યું કે, કોર્ટે આદેશ આપ્યો છે કે તે ઓનલાઇન ઉપલબ્ધ છે. તેને જુઓ અને આકલન કરો કે ગરીબો, દલિતો, પછાત અને ખેડૂતોનો અવાજ કેવી રીતે દબાવવામાં આવી રહ્યો છે. હું જેલમાં હતો. એક ગરીબ વ્યક્તિ, એક ખેડૂત માટે, દરેક પળ અને દરેક કલાક કિંમતી છે. સોરેનની ધરપકડ બાદ પાર્ટીના ત્રીજા નંબરના નેતા ચંપઈ સોરેન મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ હેમંત સોરેનની પત્ની કલ્પના દ્વારા કમાન સંભાળવાની અફવાઓ સામે આવી અને તેમની ભાભી સીતા સોરેને પણ સતત સંઘર્ષ વચ્ચે લોકસભાની ચૂંટણી અગાઉ પાર્ટી છોડી દીધી.

શું તમે ફરી મુખ્યમંત્રી બનશો? સોરેને કહ્યું કે, હું આ બધા પર પછી વિચાર કરીશ. હું કાલે જ બહાર આવ્યો છું. હું પાર્ટી કાર્યકર્તાઓ સાથે છું અને તેઓ મારું સ્વાગત કરી રહ્યા છે. મારા પ્રિય કાર્યકર્તાઓએ ભરોસો વ્યક્ત કર્યો છે. તેમનો મારા પર ભરોસો છે અને હું તેમના ઉત્સાહમાં ભાગીદાર છું. હું અત્યારે સરકાર કે પાર્ટી તરફથી જોઈ રહ્યો નથી. આ બધુ આગામી સમયમાં જોવામાં આવશે અને તમને બતાવવામાં આવશે.

જ્યારે સોરેન સળિયા પાછળ હતા ત્યારે સોરેને સક્રિય ભૂમિકા નિભાવી અને INDIA ગઠબંધનની બેઠકમાં પણ ભાગ લીધો. જ્યારે JMM નેતાને તેમની ભવિષ્યની ભૂમિકા બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તે મારી પત્ની છે અને અમે એક રાજનીતિક પરિવારથી છીએ. મારા પિતા રાજનીતિમાં રહ્યા છે અને મારા મોટા ભાઈ, મારી પત્ની અને હું રાજનીતિમાં રહ્યા છીએ. અમારા વિરોધી કહેશે વંશવાદની રાજનીતિ, પરંતુ હું માત્ર એટલું જ કહીશ કે દરેકે પોતાની ક્ષમતા મુજબ કામ કરવું જોઈએ.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.