જજ સાહેબનો કૂતરો ખોવાઈ ગયો તો પોલીસકર્મીઓના સસ્પેન્શનની કરી માગ, પણ CJIની ચિઠ્ઠી

દિલ્હી હાઇ કોર્ટના એક જજે પોતાના આવાસ પર તૈનાત દિલ્હી પોલીસના એક કર્મચારીના સસ્પેન્શનની માગ કરી હતી. તેના માટે તેમણે રીતસરના જવાબદાર અધિકારીને ચિઠ્ઠી લખી હતી. તેમનો આરોપ હતો કે, પોલીસકર્મીઓએ વારંવાર કહેવા છતા તેમના બંગ્લાના દરવાજા બંધ ન કર્યા. જેના કારણે તેમણે પોતાનો પાળતું કૂતરો ગુમાવી દીધો. આ ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. હવે તેમણે પોલીસકર્મીના સસ્પેન્શનની માગ પરત લઈ લીધી છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, ન્યાયાધીશ ગૌરાંગ કાંઠે દિલ્હી પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર (સુરક્ષા)ને 12 જૂનના રોજ ચિઠ્ઠી લખી હતી.

ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું કે, વારંવાર બંગ્લાનો દરવાજો બંધ કરવા માટે કહેવા પર પણ સંત્રીઓએ એમ ન કર્યું. આ કર્તવ્યપાલનમાં તેમની બેદરકારી અને અક્ષમતા દર્શાવે છે, જેના કારણે મારા પાળતું કૂતરાનું મોત થઈ ગયું. જસ્ટિસ ગૌરાંગ કાંઠે ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું કે, 'હું આ ચિઠ્ઠી ખૂબ દુઃખ અને દર્દ સાથે લખી રહ્યો છું. મારા બંગ્લા પર સત્તાવાર રીતે સુરક્ષા આપનારા પોલીસકર્મી પોતાના હિસ્સાની જવાબદારી અને કર્તવ્યને નિભાવવામાં પૂરી રીતે અક્ષમ છે. આ પ્રકારના નિર્દેશોને ન માનવાથી કાલે મારા જીવન અને સુરક્ષા પર પણ જોખમ થઈ શકે છે.’

ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એક પોલીસ અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, આ ચિઠ્ઠી ગયા મહિને લખવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, ન્યાયાધીશ ગૌરાંગ કાંઠે શનિવારે જાણકારી આપી કે તેઓ પોતાના આવાસ પર તૈનાત પોલીસકર્મીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા માગતા નથી. ચિઠ્ઠી લખતી વખત તેઓ દિલ્હી હાઇ કોર્ટમાં જજ હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં તેમને કોલકાતા હાઇ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. ન્યાયાધીશ ગૌરાંગ કંઠને સત્તાવાર રૂપે 15 જુલાઇના રોજ કોલકાતા હાઇ કોર્ટમાં વરણી કરવા માટે અધિસૂચિત કરવામાં આવ્યા.

એ જ દિવસે દિલ્હી હાઇ કોર્ટના બાર એસોસિએશને તેમના ટ્રાન્સફરને લઈને પોતાની ચિંતા જાહેર કરતા તર્ક આપ્યો કે પહેલાથી જ ન્યાયાધીશોની કમી છે. એવામાં આ પગલું નિર્ણયોની બાબતે નકારાત્મક અસર નાખશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડી.વાઇ. ચંદ્રચૂડે થોડા દિવસ અગાઉ દેશની બધી હાઇ કોર્ટોના ન્યાયાધીશોને ચિઠ્ઠી લખીને કહ્યું હતું કે, તેમને સુવિધાઓ મળી છે, તેનો ઉપયોગ તેમણે એ પ્રકારે ન કરવો જોઈએ, જેથી બીજાઓને અસુવિધા થાય કે ન્યાયપાલિકાની નિંદા થાય. તેના થોડા દિવસ બાદ જ જસ્ટિસ ગૌરાંગ કાંઠે પોતાની ફરિયાદ પરત લઈ લીધી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.