આસામના મુખ્યમંત્રીએ કહ્યું- મિયાં વેપારીઓના કારણે શાકભાજીઓ થઈ મોંઘી

હાલના દિવસોમાં શાકભાજીઓની કિંમતો ચર્ચાનો વિષય બની ગઈ છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શાકભાજીઓની મોંઘવારી માટે મિયાં મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને આસામમાં શાકભાજીઓની મોંઘવારી પર સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે, ગુવાહાટીમાં શાકભાજીઓ એટલી મોંઘી કેમ છે? તેના જવાબમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે મિયાં વેપારી છે, જે મોંઘી કિંમતો પર શાકભાજીઓ વેચી રહ્યા છે.

આસામમાં શાકભાજીઓની કિંમત ઘણી બધી વધી ગઈ છે. તેને લઈને આસામ સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. કોંગ્રેસે સરકાર પાસે શાકભાજીઓની કિંમત પર નિયંત્રણ માટે જરૂરી પગલાં ઉઠાવવાની માગ કરી છે. આ દરમિયાન પત્રકારોએ આસામના મુખ્યમંત્રીને મોંઘી શાકભાજીઓને લઈને સવાલ પૂછ્યો હતો. તેના જવાબમાં હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, તેની પાછળ મિયાં વેપારી છે. આ જ મિયાં વેપારી મોંઘી કિંમતો પર શાકભાજીઓ વેચે છે. આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, ગામમાં શાકભાજીઓની કિંમત ઘણી ઓછી છે.

તેમણે કહ્યું કે, આજે આસામી વેપારી શાકભાજી વેંચતા તો તેઓ આસામિયા લોકો પાસેથી વધુ પૈસા ન લેતા, પરંતુ મિયાં વેપારી આસામિયા લોકો પાસેથી વધુ પૈસા લે છે. તેની સાથે જ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આસામના યુવાઓને આગળ આવીને શાકભાજી વેચવાના કામમાં સક્રિય થવા કહ્યું. જો આસામી યુવા એમ કરવા તૈયાર છે તો તેઓ તેમના માટે જગ્યા અપાવી દેશે. એટલું જ નહીં, તેમણે ફ્લાઇઓવર નીચેની એ જગ્યાને ખાલી કરાવવાની પણ વાત કહી, જ્યાં મિયા વેપારી શાકભાજીઓ અને ફળ વેચે છે.

ઉલ્લેખનીય છે કે, આસામમાં બંગાળી મૂળના મુસ્લિમો માટે મિયાં શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ લોકો મોટા પ્રમાણમાં શાકભાજીઓ અને માછલીના વેપારમાં સામેલ છે. આસામમાં મિયાં-મુસલમાનોને લઈને રાજકીય ખેચતાણ ચાલી રહી છે. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના અધ્યક્ષ અને લોકસભાના સાંસદ બદરૂદ્દીન અજમલે આસામને મિયાં સમુદાય વિના અધૂરું બતાવ્યું હતું. આસામના મુખ્યમંત્રીએ તેના પર પણ આપત્તિ દર્શાવી હતી.

તેમણે કહ્યું હતું કે, અજમલનું એમ કહેવું આસામિયા સમુદાયનું અપમાન કરવા સામાન છે. આસામના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, મિયાં સમુદાયના લોકો બસો અને કેબ ચલાવે છે. એટલે ગુવાહાટીમાં ઈદના અવસર પર શહેરમાં બસોની અવરજવર ઓછી થઈ જાય છે અને ભીડ પણ ઓછી નજરે પડે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.