અદાણી ગ્રુપનું સંકટ માત્ર કંપની પૂરતું સીમિત નથી,ભારત માટે પણ તે લાવી શકે છે આફત

PC: thelallantop.com

24 જાન્યુઆરીનો દિવસ અદાણી ગ્રુપ માટે કાળો દિવસ બનીને આવ્યો. એક રિપોર્ટે આકાશમાં પહોંચવા માટે આતુર ગ્રુપ અને તેના પ્રમુખ ગૌતમ અદાણીના હોંશ ઉડાવી દીધા. માત્ર 10 દિવસોમાં બધુ જ અચાનક બદલાઈ ગયુ. હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટમાં ગ્રુપ પર મોટા આરોપ લાગ્યા. મની લોન્ડ્રિંગથી લઈને અકાઉન્ટિંગ ફ્રોડ સુધી. ગ્રુપના ભારે-ભરખમ દેવાને લઈને પહેલાથી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ઘણી અન્ય વાતોને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ, હિંડનબર્ગના રિપોર્ટે આ ચર્ચાને ઘરેલૂંથી આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી દીધી. જે અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં 2 નંબર પર હતા, તેઓ થોડાં જ દિવસોમાં સરકીને 21માં નંબર પર પહોંચી ગયા. અદાણી ગ્રુપ કોઈ સામાન્ય ગ્રુપ નથી. એરપોર્ટ, પાવર પ્લાન્ટથી લઈને પોર્ટ સુધી તેનું રોકાણ છે. કહી શકાય કે, આ ગ્રુપ દેશના દિલની ધડકન છે.

દેશમાં આવતો અને અહીંથી બહાર જતો તમામ સામાન આ ગ્રુપના હાથ નીચેથી નીકળે છે. દાયકાઓથી ગૌતમ અદાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીક રહ્યા છે. તેઓ હાલ એ થોડાં ઉદ્યોગપતિઓમાં સામેલ છે જે મોદી સરકારના ગ્રોથ એજેન્ડાને આગળ લઈ જવામાં તેમની સાથે છે. જોકે, હાલ આ આરોપોને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે. માત્ર અદાણી ગ્રુપ જ નહીં, તેની સાથે ભારતીય બજાર અને આખી સિસ્ટમ આવે છે. હિંડનબર્ગના રિપોર્ટના દાવાઓની તપાસ થવાની બાકી છે પરંતુ, તે પહેલા જ તેણે ઘણુ નુકસાન કરી દીધુ છે. સૌથી મોટું નુકસાન વિશ્વસનીયતાને થયુ છે.

આ સંકટ એવા સમયે ઊભું થયુ છે જ્યારે ચીનની અર્થવ્યવસ્થા ખુલી રહી છે. આ સંકટથી બેંકોને પણ મોટું નુકસાન થવાના સંકેત છે. 24 જાન્યુઆરીએ જાહેર શોર્ટ-સેલર હિંડનબર્ગના રિપોર્ટે સમગ્ર અદાણી ગ્રુપને હચમચાવી દીધુ છે. અદાણી ગ્રુપ ભારતીય પાયાનો હિસ્સો છે. ગ્રુપનું નિવેશ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોમાં છે. તેમા એરપોર્ટ, પોર્ટ, પાવર પ્લાન્ટ વગેરે સામેલ છે. સતત આ ગ્રુપ નવા ક્ષેત્રોમાં પોતાની પાંખો ફેલાવી રહ્યું છે. તેની પાસે એ એક્સપર્ટીઝ અને એક્ઝીક્યૂશનની તાકાત છે જે કદાચ સરકારી મશીનરી પાસે નથી.

અમેરિકાની નાનકડી કંપનીના રિપોર્ટે વિશાળકાય અદાણી ગ્રુપને લઈને શંકા ઉત્પન્ન કરી દીધી છે. પોતાના 100 પાનાના રિપોર્ટથી હિંડનબર્ગે નિવેશકોનો વિશ્વાસ ડગાવી દીધો છે. અદાણી ગ્રુપના શેરોનું તૂટવું તેનો પુરાવો છે. આ વાત માત્ર અદાણી ગ્રુપ સુધી સીમિત નથી. દેશના રેગ્યુલેટરી ફ્રેમવર્ક પણ શંકાના દાયરામાં આવી ગયા છે. વિદેશી નાગરિકોના મનમાં અનેક સવાલો છે. હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદથી અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યૂને 100 અબજ ડૉલર કરતા વધુનું નુકસાન થયુ છે.

હિંડનબર્ગે ઘણા બધા આરોપો લગાવ્યા છે. તેમા મની લોન્ડ્રિંગથી લઈને ફ્રોડ સુધી સામેલ છે. અદાણી ગ્રુપના ફાસ્ટ ગ્રોથને તેના કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટો ઘોટાળો ગણાવ્યો છે. અદાણી ગ્રુપે આ આરોપોને રદ્દિયો આપી દીધો છે. અદાણીએ પોતે ટીવીની સામે આવીને નિવેશકોના ડરને શાંત કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે જણાવ્યું કે, કંપનીના ફંડામેન્ટલ મજબૂત છે. બેલેન્સશીટ પણ હેલ્ધી છે. પોતાના FPO ટાળવાના નિર્ણય બાદ તેઓ સામે આવ્યા હતા.

અદાણી ગ્રુપ પોર્ટ અને એરપોર્ટને ચલાવનારું સૌથી મોટું પ્રાઈવેટ ઓપરેટર છે. તે 33 ટકા ભારતીય એરકાર્ગો ટ્રાફિકને કંટ્રોલ કરે છે. તેની શિપિંગ કેપેસિટી 24 ટકા છે. ગ્રુપની રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટોમાં 70 અબજ ડૉલર નિવેશની યોજના છે. ગ્રુપનું લક્ષ્ય મોદી સરકારની મહત્ત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા સાથે જોડાયેલ છે. ગ્રુપની વિસ્તાર યોજનાઓમાં દેવાનો પણ મોટો હાથ છે. તેના પર આશરે 1.6 ટ્રિલિયન રૂપિયાનું દેવુ છે. અદાણી ગ્રુપ સરકારની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની યોજનાને પૂર્ણ કરવામાં પ્રમુખ નિવેશકોમાંથી એક છે. અદાણી સંકટ આ યોજનાને પાટા પરથી ઉતારી શકે છે.

અદાણી સંકટે બેંકોની ચિંતા વધારી છે. અદાણી ગ્રુપના શેરો તૂટવાની સાથે બેંકોના શેરો પણ નીચે ગયા છે. હિંડનહર્ગનો રિપોર્ટ આવ્યા બાદથી ભારતીય સ્ટેટ બેંકના શેર 11 ટકા નીચે ગયા છે. 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે વિદેશી સંસ્થાગત નિવેશકોએ ભારતમાંથી 2 અબજ ડૉલર કાઢ્યા છે. ભારતીય શેરોમાં નિવેશકોનો રસ સ્પષ્ટરીતે ઘટ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે નજીકના સંબંધો હોવાના કારણે વિપક્ષે પણ પૂરી તાકાતથી હલ્લો બોલ્યો છે. નિવેશકો માટે આ મેસેજ નેગેટિવ જવાનો છે. તેને કારણે ભારતના રેગ્યુલેટરી ફ્રેમવર્ક પર સવાલ વધશે. ગ્લોબલ ગ્રોથ એન્જિન તરીકે ભારતની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. નિશ્વિતરૂપે જ અદાણી ગ્રુપનું સંકટ ભારતીય અર્થવ્યવસ્થા માટે શુભ સંકેત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp