હિંદુઓ અનાથાશ્રમમાંથી બાળકોને દત્તક ન લે: BJP MP પ્રજ્ઞા ઠાકુરનું વિવાદિત નિવેદન

ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને બેફામ નિવેદનો આપીને અનેક વખત પાર્ટીની મુશ્કેલીમાં મુકી દેનારા ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરી એક વખત વિવાદીત નિવેદન આપીને રાજકારણ ગરમાવી દીધું છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ભોપાલમાં કહ્યુ કે હિંદુઓ અનાથાશ્રમમાંથી બાળકો દત્તક ન લે.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ભાજપના સાંસદ અને હમેંશા કટ્ટરવાદી વિચારધારા ધરાવતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના વિવાદિત નિવેદન માટે જાણીતા છે. તેમણે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે જેને કારણે સનસનાટી ફેલાઇ ગઇ છે. ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ દરમિયાન તેમણે હિંદુઓને દેશની સુરક્ષા પર ધ્યાન આપવાની વાત કરી. ઓછા સંતાનો પેદા કરવાની હિંદુઓની વિચારધારા સામે પણ સાધ્વી પ્રજ્ઞાએ આપત્તિ બતાવી.

પ્રજ્ઞા ઠાકુરે ભોપાલમાં કહ્યું કે, એક તો આપણે હિંદુઓ ઓછા સંતાનો પેદા કરીએ છીએ અને પાછા અનાથાશ્રમમાંથી બાળક દત્તક લઇને પોતાને માતા-પિતા કહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. સાધ્વીએ કહ્યું કે હું આનો વિરોધ કરુ છું.આ ગતિવિધી દેશના હિતમાં નથી.

પ્રજ્ઞા ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે રોહિંગ્યાઓ આપણા દેશમાં આવ્યા હતા અને તેમના સંતાનો જુદા જુદા રૂપમાં આવ્યા હતા. તે અનેક પ્રકારના વેશ બદલીને અહીં રહે છે અને અહીં આતંકવાદી પ્રવૃત્તિઓ, ચોરી, ગુંડાગીરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. તેમના બાળકો ક્યારેય દેશભક્ત ન હોય શકે.તેની ગેરંટી છે. એટલું જ નહી, પ્રજ્ઞા ઠાકુરે ગેરકાયદે રીતે ચાલી રહેલા અનેક સંગઠનો સામે પણ સવાલ ઉભો કરીને નિશાન સાધ્યું હતું. તેમણે મોઘલ શાસકોના મહિમા ગાતા લોકો સામે પણ આકરા પ્રહારો કર્યા હતો.

સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે જે લોકો ઔરંગઝેબનો મહિમા કરે છે અથવા જેઓ મોઘલ શાસકોનો મહિમા કરે છે તે દેશદ્રોહી છે, જેમણે આપણા દેશને ગુલામ બનાવીને આપણને ત્રાસ આપ્યો હતો તેઓ તેમની મહિમા કરે છે તેઓ દેશદ્રોહી છે. આવા લોકોને ખતમ કરવા જોઈએ અને તેમને રાજદ્રોહની સજા મળવી જોઈએ.

ભોપાલના સાસંદ પ્રજ્ઞા ઠાકુરે મદરેસા વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સાધ્વીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં ચાલતા ગેરકાયદે મદરેસાઓના તાત્કાલિક બંધ કરી દેવા જોઇએ અને મદરેસાઓ દ્રારા ગેરકાયદે રીતે હડપી લેવામાં આવેલી જમીન પાછી લઇને વિકાસના કામોમાં લગાવવી જોઇએ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.