હિંદુઓ અનાથાશ્રમમાંથી બાળકોને દત્તક ન લે: BJP MP પ્રજ્ઞા ઠાકુરનું વિવાદિત નિવેદન

ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને બેફામ નિવેદનો આપીને અનેક વખત પાર્ટીની મુશ્કેલીમાં મુકી દેનારા ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરી એક વખત વિવાદીત નિવેદન આપીને રાજકારણ ગરમાવી દીધું છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ભોપાલમાં કહ્યુ કે હિંદુઓ અનાથાશ્રમમાંથી બાળકો દત્તક ન લે.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ભાજપના સાંસદ અને હમેંશા કટ્ટરવાદી વિચારધારા ધરાવતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના વિવાદિત નિવેદન માટે જાણીતા છે. તેમણે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે જેને કારણે સનસનાટી ફેલાઇ ગઇ છે. ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ દરમિયાન તેમણે હિંદુઓને દેશની સુરક્ષા પર ધ્યાન આપવાની વાત કરી. ઓછા સંતાનો પેદા કરવાની હિંદુઓની વિચારધારા સામે પણ સાધ્વી પ્રજ્ઞાએ આપત્તિ બતાવી.

પ્રજ્ઞા ઠાકુરે ભોપાલમાં કહ્યું કે, એક તો આપણે હિંદુઓ ઓછા સંતાનો પેદા કરીએ છીએ અને પાછા અનાથાશ્રમમાંથી બાળક દત્તક લઇને પોતાને માતા-પિતા કહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. સાધ્વીએ કહ્યું કે હું આનો વિરોધ કરુ છું.આ ગતિવિધી દેશના હિતમાં નથી.

પ્રજ્ઞા ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે રોહિંગ્યાઓ આપણા દેશમાં આવ્યા હતા અને તેમના સંતાનો જુદા જુદા રૂપમાં આવ્યા હતા. તે અનેક પ્રકારના વેશ બદલીને અહીં રહે છે અને અહીં આતંકવાદી પ્રવૃત્તિઓ, ચોરી, ગુંડાગીરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. તેમના બાળકો ક્યારેય દેશભક્ત ન હોય શકે.તેની ગેરંટી છે. એટલું જ નહી, પ્રજ્ઞા ઠાકુરે ગેરકાયદે રીતે ચાલી રહેલા અનેક સંગઠનો સામે પણ સવાલ ઉભો કરીને નિશાન સાધ્યું હતું. તેમણે મોઘલ શાસકોના મહિમા ગાતા લોકો સામે પણ આકરા પ્રહારો કર્યા હતો.

સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે જે લોકો ઔરંગઝેબનો મહિમા કરે છે અથવા જેઓ મોઘલ શાસકોનો મહિમા કરે છે તે દેશદ્રોહી છે, જેમણે આપણા દેશને ગુલામ બનાવીને આપણને ત્રાસ આપ્યો હતો તેઓ તેમની મહિમા કરે છે તેઓ દેશદ્રોહી છે. આવા લોકોને ખતમ કરવા જોઈએ અને તેમને રાજદ્રોહની સજા મળવી જોઈએ.

ભોપાલના સાસંદ પ્રજ્ઞા ઠાકુરે મદરેસા વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સાધ્વીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં ચાલતા ગેરકાયદે મદરેસાઓના તાત્કાલિક બંધ કરી દેવા જોઇએ અને મદરેસાઓ દ્રારા ગેરકાયદે રીતે હડપી લેવામાં આવેલી જમીન પાછી લઇને વિકાસના કામોમાં લગાવવી જોઇએ.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.