સમલૈંગિક લગ્ન પર સુપ્રીમમાં ખજુરાહોવાળો તર્ક, જુઓ શું કહ્યું કોર્ટે

સમલૈગિક લગ્નને કાયદાકીય માન્યતા આપનારી માગવાળી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સતત બીજા દિવસે સુનાવણી થઈ, કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ આ કેસમાં બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પક્ષકાર બનવાની માગ કરી છે. તેને લઈને કેન્દ્રએ એક ફ્રેશ એફિડેવિટ પણ દાખલ કરી છે. તો અરજીકર્તાઓ તરફથી સીનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ ખજુરાહોના મંદિરની મૂર્તિઓનો સંદર્ભ આપતા કહ્યું કે, સમલૈંગિકતા હજારો વર્ષથી ઉપસ્થિત છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે આ કેસને સમયબદ્ધ રીતે સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર આપતા કહ્યું કે, અન્ય કેસ પણ છે, જેમને સુનાવણીની રાહ છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની સંવિધાન પીઠે એ સમયે આ ટિપ્પણી કરી, જ્યારે અરજીકર્તાઓમાંથી એક તરફથી ઉપસ્થિત વરિષ્ઠ એડવકેટ એ.એમ. સિંધવીએ કહ્યું કે, તેઓ સંભવતઃ ગુરુવારે ભોજનાવકાસ સુધી સમય લેશે. સંવિધાન પીઠ સતત બીજા દિવસે આ કેસની સુનાવણી કરી રહી હતી.

આ પીઠમાં ન્યાયાધિશ કિશન કૌલ, ન્યાયાધીશ એસ. આર, ભટ, ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ પી.એસ. નરસિંહા પણ સામેલ છે. ગુરુવારે પણ આ કેસની સુનાવણી ચાલુ રહી. કેન્દ્રએ સુપ્રીમને ભલામણ કરી કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવાનો અનુરોધવાળી અરજીઓ પર સુનાવણીમાં પક્ષકાર બનાવવામાં આવે. કેન્દ્રએ કહ્યું કે, કેસ વિધાયિકાના અધિકાર ક્ષેત્ર સાથે જોડાયેલો છે તો બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિચાર જરૂરી છે.

તેણે 18 એપ્રિલે રાજ્યોને ચિઠ્ઠી મોકલીને સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાના અનુરોધવાળી અરજીમાં ઉઠાવવામાં આવેલા મૌલિક મુદ્દાઓ પર તેમની પાસે ટીપ્પણીઓ માગી છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, અરજીઓ પર સુનાવણી અને નિર્ણયનો દેશ પર મહત્ત્વપૂર્ણ પ્રભાવ હશે કેમ કે સામાન્ય લોકો અને રાજનૈતિક પાર્ટીઓ આ વિષય પર અલગ-અલગ વિચાર રાખે છે.

સમલૈંગિક મેરેજને કાયદાકીય માન્યતા માટે દલીલ આપતા અરજીકર્તાના વકીલ મુકુલ રોહતાગીએ ખજુરાહોની મૂર્તિઓનો સંદર્ભ આપ્યો. સમલૈંગિકતાને શહેરી શ્રેષ્ઠ વર્ગના વિચાર બતાવનાર તર્કની આડમાં રોહતાગીએ પોતાના ક્લાયન્ટની કહાની બતાવી. તેમણે કહ્યું કે, તેઓ જે અરજીકર્તાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે એક નાનકડા શહેરથી છે. તેના માતા-પિતાએ પણ તેના સંબંધો સ્વીકાર્યા છે. અહી સુધી કે છોકરાના માતા-પિતાએ તેનું રિસેપ્શન પણ રાખ્યું.

આ એક નાનકડા શહેરની વાત છે અને માતા-પિતા પાછલી પેઢીના છે. રોહતગીએ કહ્યું કે, તમે ખજુરાહો જાઓ છો અને ત્યાં જે કામ-ક્રીડાને દેખાડવામાં આવી છે, તે હજારો વર્ષથી છે. તેના પર યુરોપનો કોઈ પ્રભાવ નથી. એ ત્યારથી છે જ્યારથી સમાજમાં અસ્તિત્વમાં આવ્યો. બ્રિટિશ પ્રભાવ માત્ર ત્યારે આવ્યો જ્યારે તેમણે કાયદો બનાવ્યો અને વિક્ટોરિયા મૉડલ થોપ્યું. સુનાવણી દરમિયાન CJI ડીવાઇ ચંદ્રચૂડે કહ્યું કે, સમલૈંગિકતા એક અર્બન એલિટિસ્ટ કન્સેપ્ટ છે.

આ દલીલના સમર્થનમાં સરકાર પાસે કોઈ ડેટા નથી. રાજ્ય કોઈ વ્યક્તિ વિરુદ્ધ ભેદભાવ નહીં કરી શકે. એ પણ તેની એવી કોઈ વિશેષતાના આધાર પર જેના પર તેનું પોતાનું વશ ન હોય. જ્યારે તમે તેને જન્મજાત ગુણના રૂપમાં જુઓ છો, તો એ પોતે જ અર્બન એલિટિસ્ટ કોન્સેપ્ટને કાઉન્ટર કરે છે. અર્બન કદાચ એટલે કે મોટા ભાગના લોકો શહેરોમાંથી આવે છે. સરકાર પાસે એ દેખાડવા માટે કોઈ ડેટા નથી કે સમલૈંગિક મેરેજ એક અર્બન એલિટિસ્ટ કોન્સેપ્ટ છે.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.