મણિપુરમાં એક યુવકને જીવતો સળગાવવાનો વીડિયો આવ્યો સામે, INDIA ગઠબંધને ...

મણિપુરમાં હિંસા અત્યાર સુધી થોભવાનું નામ લઈ રહી નથી. હાલની ઘટનામાં આદિવાસી યુવકને જીવતો સળગાવવાનો 7 સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કથિત રૂપે રવિવારે મણિપુરના ઘણા વૉટ્સએપ ગ્રુપોમાં આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. હિંસા પ્રભાવિત મણિપુરથી વધુ એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ વિપક્ષે સોમવારે સખત પ્રતિક્રિયા વ્યક્ત કરી છે, જેમાં એક આદિવાસી વ્યક્તિના શબ પર ખીણમાં આગ લગાવતા જોઈ શકાય છે.

આ વાયરલ વીડિયો પર પોલીસે કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે વીડિયો મે મહિનાની શરૂઆતનો પ્રતીત થાય છે અને અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. તેણે લઈને INDIA ગઠબંધને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે અને કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુઃખદ અને શરમજનક છે. વિપક્ષી ગઠબંધન INDIAએ એક ધૂંધળી વીડિયો ક્લિપ શેર કરતા X (અગાઉ ટ્વીટર) લખ્યું કે, ‘આ મણિપુરથી છે!! મણિપુરમાં કુકી આદિવાસી યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો. નિધનની ઘટના ખૂબ જ દુઃખદ અને શરમજનક છે. મોદીજી પાડોશી દેશ બાબતે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ મણિપુરને બચાવવામાં નિષ્ફળ રહ્યા..’

7 સેકન્ડનો આ વીડિયો રવિવારે મણિપુરના ઘણા વૉટ્સએપ ગ્રુપોમાં શેર કરવામાં આવ્યો. વીડિયોમાં કથિત એ યુવક કાળું ટી-શર્ટ અને પાતલૂનમાં એક ખીણમાં પડેલો નજરે પડી રહ્યો છે. તેના ચહેરાને કચડી દેવામાં આવ્યો છે, તો શરીરમાં આગ લાગી છે. INDIA બ્લોક પાર્ટનર અને શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ ઘટના પર પ્રતિક્રિયા વ્યક્તિ કરી છે. તેમણે લખ્યું કે, મણિપુરથી સામે આવેલા વધુ એક ભયાનક વીડિયોમાં, એક આદિવાસી વ્યક્તિના શરીર પર ખીણમાં આગ લગાવતા જોઈ શકાય છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, વીડિયો મે મહિનાની શરૂઆતનો પ્રતીત થયા છે. મણિપુર હિંસા પર અત્યારે પણ ચર્ચા અને સમાધાન કરવામાં આવ્યું નથી.

હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ કુકી અને મેતેઇ સમુદાયોના વિરોધ પ્રદર્શન બાદ રાજ્ય સરકારને અનુસૂચિત જનજાતિ (ST)ની શ્રેણીમાં મેતેઇ સમુદાયને સામેલ કરવા પર વિચાર કરવા માટે કહ્યા બાદ પૂર્વોત્તર રહ્યા મણિપુરમાં 3 મેના રોજ હિંસા ભડકી ઉઠી હતી. રવિવારે જિલ્લા પ્રશાસને ઇમ્ફાલમાં પૂર્વમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને કોઈ પણ જુલૂસ, રેલી, વિરોધ અને કાયદાકીય સભા કે સાર્વજનિક બેઠકો પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો હતો. જિલ્લા મેજીસ્ટ્રેટે એક અધિસૂચનામાં કહ્યું કે, 5 કરતા વધુ લોકોની સભાથી જિલ્લામાં સાર્વજનિક શાંતિ ભંગ થવાની સંભાવના છે અને તેને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી આવશ્યક છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.