બેંકમાં 2000ની નોટ જમા કરાવતી વખત નકલી નીકળે તો થઈ શકે છે આ કાયદાકીય કાર્યવાહી

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 2 હજાર રૂપિયાની નોટ ચલણથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય બેંકે 2 હજાર રૂપિયાની નોટો ન આપવાનો આદેશ આપ્યો છે. લોકોને બેંકમાં 2 હજાર રૂપિયાની નોટ જમા કરાવવા માટે 4 મહિનાનો સમય આપ્યો છે. 30 સપ્ટેમ્બર 2023 સુધી આ નોટોને પરત લઈ લેવામાં આવશે. જો તમારી પાસે પણ 2 હજાર રૂપિયાની નોટ છે તો તમે 23 મેથી જમા કરાવવાની શરૂઆત કરી શકો છો, પરંતુ શું તમે વિચાર્યું છે કે જો 2 હજાર રૂપિયાની નોટ જમા કરાવતી વખત તે નકલી નીકળી તો શું થશે. શું તમારા પર કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે?

ભારતીય રિઝર્વ બેંક તરફથી બેંકોને કહેવામાં આવ્યું છે કે, બધી નોટોની તપાસ કરવામાં આવે. સ્પષ્ટતા અને વાસ્તવિકતા માટે નોટ સૉર્ટિંગ મશીનો (NSM)ના માધ્યમથી તાત્કાલિક શોર્ટ કરવામાં આવશે. રિઝર્વ બેન્કે કહ્યું કે, નકલી નોટની તપાસ 3 એપ્રિલ 2023ના રોજ જાહેર કરવામાં આવેલા માસ્ટર ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવામાં આવશે.

નકલી નોટ નીકળવા પર શું થશે?

કાઉન્ટર પર આપવામાં આવેલી નોટોને મશીનોના માધ્યમથી તપાસ કરવામાં આવશે. જો કોઈ નોટ નકલી મળે છે તો તે પૈસા ગ્રાહકોને નહીં આપવામાં આવે. આ નકલી નોટ પર ફેક કરન્સીની મ્હોર લગાવી દેવામાં આવશે અને જપ્ત કરી લેવામાં આવશે. સાથે જ અલગ રજીસ્ટરમાં તેને નોટ કરવામાં આવશે, નકલી નોટ પાછી કરવામાં નહીં આવે. જો એમ કોઈ બેંક કરે છે તો નકલી નોટમાં એ બેંકની ભાગીદારી માનવામાં આવશે અને દંડ લગાવવામાં આવશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કહે છે કે જો 4 નંગ સુધી નકલી નોટ મળે છે તો તેની જાણકારી પોલીસને આપવામાં આવશે. જો 5 નોટ મળે છે તો નોડલ અધિકારી દ્વારા તાત્કાલિક પોલીસને જાણકારી આપવામાં આવશે અને FIR નોંધાવી તપાસ કરાવવામાં આવશે. FIRની એક કપિ બેંકના મુખ્ય બ્રાન્ચને મોકલવામાં આવશે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.