મહિલાને ગળે લગાડવી ગુનો નથી,બ્રિજ ભૂષણની દલીલ પર પોલીસે કહ્યું- પૂરતા પુરાવા છે

મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના મામલામાં BJPના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એટલા પુરાવા છે કે, તે કેસ ચલાવવા માટે પૂરતા છે. આ વાત ખુદ સરકારી વકીલ અતુલ કુમાર શ્રીવાસ્તવે રૂઝ એવન્યુ કોર્ટમાં કહી છે. વકીલે આ કેસમાં દિલ્હી પોલીસની ચાર્જશીટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પોલીસની ચાર્જશીટ જોતા બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમર વિરુદ્ધ આરોપો ઘડવામાં આવે. બ્રિજભૂષણ શરણ સિંહ પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ તરીકે મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ છે.

11 ઓગસ્ટે રૂઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હરજીત સિંહ જસપાલે આ મામલે સરકારી વકીલની દલીલો સાંભળી હતી. આ પહેલા 9 ઓગસ્ટના રોજ બ્રિજ ભૂષણ શરણ સિંહના વકીલ રાજીવ મોહને દલીલ કરી હતી કે 'જાતીય ઉદ્દેશ્ય વિના મહિલાને સ્પર્શ કરવો એ ગુનાહિત પ્રવૃત્તિ નથી'. તેમણે કહ્યું હતું કે, બ્રિજ ભૂષણ સામેના એક આરોપમાં માત્ર ગળે લગાવવાનો સમાવેશ થાય છે. ગળે મળવાને ગુનો ન ગણવો જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું હતું.

11 ઓગસ્ટે પોતાની દલીલો આપતી વખતે વકીલે કોર્ટને કહ્યું હતું કે, 'આરોપીએ કયા ઈરાદાથી ગળે લગાવ્યો છે તે મહત્વનું છે.'

બ્રિજભૂષણ શરણ સિંહના વકીલે કહ્યું હતું કે, મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે તેમની સામે હુમલો અથવા ફોજદારી બળનો કેસ બનતો નથી. આ અરજી પર અતુલ કુમાર શ્રીવાસ્તવે કહ્યું કે, એક કેસમાં વારંવાર જાતીય સતામણી સામેલ હતી. તેમણે કહ્યું કે તેથી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે હુમલો અને ફોજદારી બળનો કેસ કરવામાં આવે. તેમણે કહ્યું, 'ચાર્જશીટ માટે વિસ્તૃત કારણોની જરૂર નથી. ચાર્જશીટમાં આરોપીઓ સામે પૂરતા પુરાવા છે,'

બ્રિજ ભૂષણના વકીલ રાજીવ મોહને કહ્યું હતું કે, મહિલા કુસ્તીબાજોને લગતા ઘણા મામલા દિલ્હી કોર્ટના અધિકારક્ષેત્રની બહાર એટલે કે અન્ય રાજ્યોના છે અને તેમનો કેસ અહીં ચલાવી શકાય તેમ નથી. એવી દલીલ પણ કરવામાં આવી હતી કે, ભારત બહાર થયેલી ઘટનાના કેસોની સુનાવણી કેન્દ્ર સરકારની મંજૂરી વિના દેશની અદાલતોમાં થઈ શકે નહીં.

આ અંગે અતુલ કુમાર શ્રીવાસ્તવે કહ્યું કે, જ્યારે સમગ્ર ઘટના વિદેશમાં થાય ત્યારે જ કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. તેમણે દલીલ કરી હતી કે, 'ગુનાનો એક ભાગ આ દેશની ધરતી પર કરવામાં આવ્યો હતો, તેથી કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર નથી.'

તેમણે તો એવી પણ દલીલ કરી હતી કે, જો કોઈ ગુનો અંશતઃ એક વિસ્તારમાં અને અંશતઃ બીજા વિસ્તારમાં કરવામાં આવ્યો હોય, તો તે વિસ્તારની તમામ અદાલતો કેસ પર અધિકારક્ષેત્ર ધરાવી શકે છે. હવે આ મામલે આગામી સુનાવણી 19 ઓગસ્ટે થશે. હાલ આ કેસમાં બ્રિજ ભૂષણ સિંહને જામીન મળી ગયા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.