અંજૂના પતિ અરવિંદની ધમકી, બોલ્યો- બે મહિના બાદ આવી તો ચામડી કાઢી નાખીશું

ગયા મહિને છાનીમાની પાકિસ્તાન પહોંચેલી અંજૂને તેના ભારતીય પતિએ ખુલ્લી ચેતવણી આપી છે. તેણે કહ્યું કે, જ્યારે તે બે મહિના બાદ આવશે તો તેની ચામડી કાઢી નાખીશું. અરવિંદે ગુપ્ત કેમેરા સામે આ બધી વાતો કહી. તેણે જણાવ્યું કે, તેના બાળકો માતા અંજૂને રાખવાની ના પાડી રહ્યા છે. તેને પોતાના બાળકો માટે દર્દ પણ નથી. જો તેને બાળકો સાથે પ્રેમ હોત તો તે ભાગીને ખૂબ પહેલા આવી જતી.

એક ન્યૂઝ ચેનલના હિડેન કેમેરા પર વાત કરતા અરવિંદે કહ્યું કે, જો અંજૂની અંદર બાળકોને લેવાની હિંમત હોય તો તેણે ભારત આવીને દેખાડવું પડશે. તેણે કહ્યું કે, તે તેને અને નસરુલ્લાને મીડિયા દ્વારા બોલી દીધું છે. જ્યારે પણ વચ્ચે વચ્ચે સમાચાર આવે છે તો હાલત પાતળી થઈ જાય છે. અરવિંદે અંજૂના એ ગુપ્ત કબાટ બાબતે પણ જણાવ્યું, જેને તે પાકિસ્તાન ગયા બાદ ન ખોલવા કહેતી રહી હતી.

તેણે કહ્યું કે, એ કબાટમાં અંજૂના પાકિસ્તાન સાથે જોડાયેલા કાગળ હોય શકે છે. અરવિંદે પૂછ્યું કે, આખરે વીઝા ક્યાં સુધી વધારશે સરકાર. 2 મહિના, ત્રણ મહિના કે ચાર મહિના સુધી. તે પોતે પોતાની જાળમાં ફસાઈ રહી છે. ત્યારબાદ નેપાળના રસ્તે ભારત આવતી રહેશે. અરવિંદે ખુલાસો કર્યો કે, અંજૂની ઇન્સ્ટાગ્રામ પર 7-8 પ્રોફાઇલ છે. તેમાંથી તેણે બધી ડિટેલ્સ કાઢી લીધી છે. અરવિંદ પર અંજૂ દ્વારા મારામારી કરવાના આરોપોને તેણે મૂળથી ફગાવી દીધા છે.

તેણે કહ્યું કે, તેના ચહેરાને જોઈને લાગી રહ્યું છે કે શું તે કોઈને મારવા પણ દેશે? તેણે એમ પણ કહ્યું કે, અંજૂ અને નસરુલ્લાહે એ ક્યારેય વિચાર્યું નહીં હોય કે એ બંને વિરુદ્ધ FIR નોંધાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં અરવિંદે અંજૂ અને નસરુલ્લાહ વિરુદ્ધ FIR નોંધાવી હતી.  ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે જો અંજૂ ભારત પાછી આવે છે તો તેની મુશ્કેલી ઊભી થઈ જશે. અરવિંદે કહ્યું કે, બે મહિના બાદ આવશે તો એ અગાઉ તેની ચામડી કાઢી નાખીશું. એ તેને સમજ આવી રહ્યું નથી.

નોંધનીય છે કે, અંજૂ ગયા મહિને પાકિસ્તાન જતી રહી હતી. ત્યાંથી તેણે પોતાના પતિ અરવિંદ અને બાળકોને જણાવ્યું તો તેઓ હેરાન રહી ગયા. ત્યારબાદ તેણે નસરુલ્લાહ સાથે લગ્ન પણ કરી લીધા અને પોતાનો ધર્મ પણ બદલી લીધો. બંનેના વેડિંગ વીડિયો પણ સામે આવવાથી હાહાકાર મચી ગયો હતો. જો કે, શરૂઆતમાં બંને લગ્નને અફવા બતાવતા રહ્યા, પરંતુ સ્થાનિક મીડિયાએ તેની પુષ્ટિ કરી દીધી, ત્યારબાદ એક પાકિસ્તાની બિઝનેસમેને અંજૂને પાકિસ્તાની નાગરિકતા મળે છે તો તે તેને પોતાની કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવશે અને ઘરે બેસીને સેલેરી પણ આપશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.