પતિએ પત્નીને પ્રેમી સાથે જોઈ, પછી બંનેને પતાવી દીધા, પોલીસને ફોન કર્યો અને...

આરોપી પતિએ રાત્રે 3 વાગ્યે ડાયલ-112 પર પોલીસને ફોન કર્યો. કહ્યું- મેં મારી પત્ની અને તેના પ્રેમીની હત્યા કરી દીધી છે. તમે આવી જાઓ. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો અગાસી પર બંનેના લોહીથી લથપથ શવ પડ્યા હતા. બંનેની ઈંટથી કચડીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે બંને શવોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. જ્યારે, આરોપી પતિની ધરપકડ કરી લેવામાં આવી. ઘટના સહાયલ પોલીસ સ્ટેશનના નંદપુર ગામની છે.

પોલીસે જણાવ્યું કે, નંદપુર નિવાસી શોભારામ (32) રાજમિસ્ત્રીનું કામ કરે છે. ઘરે પત્ની રાગિની (28) બે બાળકો સાથે રહેતી હતી. એક બાળકી 10 વર્ષની છે જે મામાને ત્યાં રહે છે. બુધવારની રાત્રે પત્ની ખાવાનું આપીને ઉપર છત પર જતી રહી. રાત્રે એક વાગ્યે શોભારામ ઉઠ્યો. તે છત પર ગયો તો ત્યાં પત્ની અને તેનો પ્રેમી સિંકુ યાદવ (20) સાથે દેખાયા. પત્ની અને પ્રેમીને એકસાથે જોઈ શોભારામ ગુસ્સે થઈ ગયો. તેણે ત્યાં મુકેલી ઈંટ ઉઠાવી અને બંનેને મારવા માંડ્યો. જ્યારે બંને જમીન પર પડી ગયા તો બંનેને દોરી વડે બાંધી દીધા. ત્યારબાદ ફરીથી તેમને ઈંટથી ત્યાં સુધી મારતો રહ્યો, જ્યાં સુધી બંનેના મોત ના થઈ ગયા. આ દરમિયાન બાળકો નીચે સુઈ રહ્યા હતા. બંનેએ બૂમો પાડી તો આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા.

ઘટનાની સૂચના મળતા એસપી ચારુ નિગમ સહિત અન્ય પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. આરોપી પતિની ધરપકડ કરી લીધી. આસપાસના ગ્રામીણોએ જણાવ્યું કે, રાગિનીનું સિંકુ સિંહ સાથે અફેર ચાલી રહ્યું હતું. આ વાતને લઇને પહેલા પણ પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો હતો. પોલીસે જણાવ્યું કે, ઘટના બાદ આરોપી પતિએ જણાવ્યું કે થોડાં દિવસોથી સિંકૂ, રાગિનીને મળવા છત પર આવતો હતો. આસપાસના લોકોએ મને આ અંગે જણાવ્યું હતું. મેં રાત્રે ઉઠીને તેમને પકડવાનું વિચાર્યું પરંતુ, પત્ની ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવતી હતી. આ કારણે હું રાત્રે ઉઠી શકતો ન હતો. આરોપી શોભારામે જણાવ્યું, હું રાત્રે કામ પરથી પાછો આવ્યો અને જાતે ખાવાનું કાઢીને ખાવા માંડ્યો. ત્યારે જ મારી પત્ની છત પરથી નીચે આવી ગઈ. તેણે કહ્યું કે, ખાવાનામાં મીઠું ઓછું છે. પછી ખબર નહીં તેણે ખાવાનામાં શું મિક્સ કર્યું. મેં જેવુ ખાવાનું ખાધુ તો મને તરત જ ઊંઘ આવી ગઈ. હું ત્યાં જ સુઈ ગયો. 11 વાગ્યાની આસપાસ લાઈટ ગઈ તો મને ગરમી લાગી. પછી મને કંઈ અવાજ સંભળાયો એટલે હું ઉપર ગયો. જ્યારે હું ઉપર ગયો તો મેં જોયુ કે બંને એકસાથે સૂતા હતા. મારી પત્નીએ તે છોકરાને પોતાની સાડીના પાલવમાં સંતાડી રાખ્યો હતો.

જ્યારે મેં જોયુ તો મારી પત્ની બોલી અને તે ના બોલ્યો. મેં પાસે પડેલી ઈંટ ઉઠાવીને મારી દીધી. જેને કારણે છોકરો બેભાન થઈ ગયો. ત્યારબાદ મારી પત્ની મારી પાસે આવી અને તેને છોડવા માટે કરગરવા માંડી. ત્યારબાદ મેં પત્નીને પણ એક ઈંટ મારી દીધી. તેને કારણે તે પણ બેભાન થઈ ગઈ. ત્યારબાદ બંનેને બાંધી દીધા. મેં વિચાર્યું કે જો હું પોલીસને બોલાવીશ તો આ બચી જશે અને પાછો આવશે. આથી મેં બંનેને મારી નાંખ્યા. ઘટનાના સમયે હું એકલો હતો.

પોલીસે જણાવ્યું કે, શોભારામે ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસને સૂચના આપી. શોભારામની પત્ની રાગિનીનું સિંકૂ યાદવ સાથે અફેર ચાલી રહ્યું હતું. શોભારામે રાત્રે પત્નીને પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ. આક્રોશમાં આવીને બંનેની ઈંટથી કચડીને હત્યા કરી દીધી. સિંકૂ યાદવના પરિવાર તરફથી લેખિતમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.