પતિને પત્નીના લગ્નેત્તર સંબંધની હતી શંકા, પત્નીના પ્રેમીને ખરાબ રીતે માર્યો માર

PC: allsarkarinaukari.in

મહારાષ્ટ્રના પૂણે શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડના વાકર પરિસરમાં એક વ્યક્તિએ તેના મિત્ર સાથે મળીને તેની પત્નીના કથિત પ્રેમી પર નિર્દયતાથી અત્યાચાર કર્યો હતો. અજય રાજેન્દ્ર પવાર નામના વ્યક્તિએ તેની પત્ની સાથે લગ્નેત્તર સંબંધ હોવાની શંકાએ મનોહર વેતાલ નામના વ્યક્તિનું અપહરણ કરીને તેને માર માર્યો હતો. મનોહરે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે અજયે માત્ર માર જ નહીં પરંતુ તેણે તેના પ્રાઈવેટ પાર્ટ પર ઓઈન્ટમેન્ટ સ્પ્રે છાંટીને તેને ટોર્ચર પણ કર્યો હતો.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટનામાં 30 વર્ષીય મનોહર ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટના બાદ બે આરોપીઓ વિરુદ્ધ મનોહરે વાકડ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને હુમલાનો કેસ નોંધાવ્યો છે. મનોહરે તેની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે અજય રાજેન્દ્ર પવાર નામના વ્યક્તિએ તેના એક સહયોગી પ્રમોદ બાલુ ચાસડકર સાથે મળીને તેનું અપહરણ કર્યું હતું. મનોહરે જણાવ્યું કે છત્રપતિ ચોકથી ટ્રક રોક્યા પછી તેનું અપહરણ કર્યું અને તેને કારમાં બેસાડીને ખૂબ માર માર્યો હતો.

મનોહરે તેની ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે બંને આરોપીઓ તેને એક ફ્લેટમાં લઈ ગયા અને બંધ રૂમમાં શેરડી, લોખંડના સળિયા અને ચામડાના પટ્ટા વડે માર માર્યો. મનોહરના કહેવા પ્રમાણે, આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટ, આંખ અને નાક પર સ્પ્રે છાંટીને તેને ખૂબ ટોર્ચર કર્યો. મનોહરે જણાવ્યું કે આરોપીઓએ તેને ખૂબ જ ત્રાસ આપ્યો અને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે મનોહરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp