સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે, હું ખ્રિસ્તી છું, પરંતુ મને હિંદુ ધર્મ પસંદ છે

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કેએમ જોસેફે હિન્દુ ધર્મ વિશે મોટી વાત કહી છે. તેણે સોમવારે 27 ફેબ્રુઆરી, સોમવારે કહ્યું, તેઓ પોતે એક ખ્રિસ્તી છે, પરંતુ તેમ છતાં તેમને હિંદુ ધર્મ સાથે લગાવ છે. દેશના પ્રાચીન, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોના મુળ નામોને પુનઃસ્થાપિત કરવા માટે એક કમિશનની રચના કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે તેમણે આ ટિપ્પણી કરી હતી. આ બેંચમાં જસ્ટિસ બીવી નાગરત્નન પણ સામેલ હતા.

હિંદુ ધર્મ વિશે ટિપ્પણી કરતા ન્યાયાધીશ જોસેફે કહ્યુ કે, આ એક મહાન ધર્મ છે અને તેને નીચો દેખાડવાનો પ્રયાસ ન થવો જોઇએ. તેમણે આગળ કહ્યું કે હિંદુ ધર્મ જે ઉંચાઇ પર પહોંચ્યો છે અને ઉપનિષદ, વેદ અને ભગવદગીતામાં જે ઉલ્લેખો કરવામાં આવ્યા છે, ત્યાં સુધી કોઇ પણ વ્યવસ્થા પહોંચી શકી નથી. ખંડપીઠે નામ બદલવા કમિશન ની રચનાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, દેશ ભૂતકાળનો કેદી ન રહી શકે. ધર્મનિરપેક્ષ ભારત બધાનું છે.

હિંદુ ધર્મની પ્રસંશા કરતા ન્યાયાધીશ જોસેફે કહ્યુ કે, આધ્યાત્મિક જ્ઞાનમાં હિંદુ ધર્મ મોટી ઉંચાઇઓ પર પહોંચેલું છે. આપણને આ મહાન ધર્મ પર ગર્વ થવો જોઇએ અને આપણે તેને નીચો ન બતાવવો જોઇએ. આપણને આપણી મહાનતા પર ગર્વ હોવો જોઇએ અને આપણી મહાનતા જ આપણને  ઉદાર બનાવે છે. ન્યાયાધીશે કહ્યુ કે, હું પણ હિંદુ ધર્મનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને હું લોકોને વિનંતી કરુ છુ કે હિંદુ ધર્મના દર્શન પર ડો. એસ, રાધાકૃષ્ણને લખેલું પુસ્તક વાંચવું જોઇએ.ન્યાયાધીશ જોસેફે કહ્યું કે, કેરળમાં અને રાજાઓ છે, જેમણે ગિરજાઘરો અને અન્ય ધાર્મિક સ્થાનો માટે તેમની જમીન દાનમાં આપી દીધી હતી.

જસ્ટિસ જોસેફે કહ્યું, તમે રસ્તાઓનું નામ બદલવાને મૂળભૂત અધિકાર કહી રહ્યા છો? તમે ઈચ્છો છો કે અમે ગૃહ મંત્રાલયને આ વિષય પર કમિશન બનાવવાની સૂચના આપીએ ? તેમણે વધુમાં કહ્યું, તમે અકબર રોડનું નામ બદલવાની પણ માંગ કરી છે. ઈતિહાસ કહે છે કે અકબરે બધાને સાથે લાવવાની કોશિશ કરી હતી. આ માટે દીન-એ-ઇલાહી જેવો અલગ ધર્મ લાવવામાં આવ્યો હતો.આના પર અરજદાર અશ્વિની ઉપાધ્યાયે કહ્યું, તે એક રસ્તાના નામ સુધી મર્યાદિત ન હોવું જોઈએ, જે લોકોએ આપણા વડવાઓને અકલ્પનીય મુશ્કેલીઓ આપી હતી. જેના કારણે અમારી માતાઓને જૌહર જેવા પગલા ભરવા પડ્યા હતા. તે ક્રૂર યાદોને સમાપ્ત કરવાની જરૂર છે.

આના પર ખંડપીઠે કહ્યું,  આપણા પર હુમલો થયો, તે સાચું છે. શું તમે સમયને પાછળ લઇ જવા માંગો છો? તમે આના દ્વારા શું પ્રાપ્ત કરવા માંગો છો? શું દેશમાં સમસ્યાઓની કમી છે? તેમને છોડીને, ગૃહ મંત્રાલય હવે નામ શોધવા  નિકળે? શરૂ કરો? કોર્ટે કહ્યું,  હિંદુત્વ એક ધર્મ નહી, જીવન શૈલી છે. એમાં કટ્ટરતાને કોઇ સ્થાન નથી. હિંદુત્વએ મહેમાનો અને હુમલાખોરો બધાનો સ્વીકાર કરી લીધો છે. તેઓ આ દેશના હિસ્સો બનતા રહ્યા છે. ભાગલા પાડો અને રાજ કરો એ નીતી અંગ્રેજોની હતી. હવે સમાજના ભાગલાં પાડવાની કોશિશ ન થવી જોઇએ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.