કોઈના બાપથી નથી ડરતો,હું માત્ર તેમનાથી જ ડરું..ધીરેન્દ્ર શાસ્ત્રી કોનાથી ડરે છે

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. માત્ર 26 વર્ષની ઉંમરે ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રેમ કરનારા લાખો લોકો મળી ગયા છે. બાબા બાગેશ્વર અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. બાબા બાગેશ્વરના દરબારમાં તમામ રાજકીય પક્ષોના ઘણા મોટા અને દિગ્ગજ નેતાઓએ હાજરી આપી ચુક્યા છે. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાબા બાગેશ્વરને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવી રહ્યું છે કે, શું ધીરેન્દ્ર શાસ્ત્રીને ડર લાગે છે? જેના પર શાસ્ત્રીએ એવો જવાબ આપ્યો કે, ત્યાં બેઠેલા તમામ લોકો તાળીઓ પાડવા લાગ્યા.

જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, 'કોઈના બાપથી પણ નહીં'. આના પર મીડિયાએ બીજીવાર પૂછ્યું કે, ક્યારેય ડર નથી લાગ્યો?, ધીરેન્દ્ર શાસ્ત્રીએ એના પર જવાબ આપ્યો કે, 'ડરવું કોના બાપથી? અમે ન તો કોઈના બાપના બળદ છોડ્યા છે, ન કોઈના ઘર પર કબજો કર્યો છે, ન કોઈની પાસેથી દાન લીધું છે, તો કોના બાપથી ડરવું જોઈએ?'

જવાબ આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, 'અમે માત્ર હનુમાનજીથી ડરીએ છીએ. પાપથી ડરીએ છીએ. અમારા દ્વારા એવું કોઈ કૃત્ય ન થઇ જાય કે જેનાથી ધર્મને નીચું જોવું પડે, આપણે બસ તેનાથી ડરીએ છીએ.' બાબા બાગેશ્વરના આ જવાબ પછી સ્ટુડિયોમાં બેઠેલા લોકો તાળીઓ પાડવા લાગ્યા અને 'જય શ્રી રામ'ના નારા લગાવવા લાગ્યા. ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

પાછલાં દિવસોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહારાષ્ટ્રમાં દરબારનું આયોજન કર્યું હતું. દરબાર લગાવતા પહેલા પોલીસે ઈવેન્ટના આયોજકોને નોટિસ મોકલી હતી. પોલીસે આયોજકોને કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ સાથે પોલીસે નોટિસમાં કહ્યું હતું કે, કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનો ન કરવા જોઈએ. નોટિસ આપતી વખતે પોલીસે કાર્યક્રમના આયોજકોને કહ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંત તુકારામ વિશે કોઈ નિવેદન ન આપવું જોઈએ.

અહીં તમને જણાવી દઈએ કે, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આવા ઉગ્ર શબ્દો અને નિવેદનો હવે જબલપુરમાં પણ સાંભળવા મળવાના છે. શાસ્ત્રી 25મી માર્ચથી અહીં ભાગવત કથા કરવાના છે. દરેકની નજર અહીં યોજાનાર દિવ્ય દરબાર પર રહેશે. આયોજકોએ અહીં 6 લાખ લોકો એકઠા થવાની તૈયારી કરી લીધી છે. જો કે આ કાર્યક્રમમાં આના કરતા વધુ લોકો ભાગ લેશે તેવો અંદાજ છે. બાગેશ્વર ધામ સરકારના આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા વહીવટી તંત્ર પણ મહેનત કરી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.