'હું તેમને મળી શકું છું, ગળે લગાવી શકું છું પણ...', રાહુલે વરુણ અંગે શું કહ્યું?

રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલી ભારત જોડો યાત્રા મંગળવારે પંજાબના હોશિયારપુર પહોંચી હતી. અહીં તેમણે પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન જ્યારે રાહુલ ગાંધીને વરુણ ગાંધીના કોંગ્રેસમાં પ્રવેશ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું કે, 'હું તેમને મળી શકું છું, ગળે લગાવી શકું છું, પરંતુ મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મેળ ખાતી નથી.'

રાહુલ ગાંધીએ કહ્યું કે, 'તેઓ BJPમાં છે, જો તેઓ અહીંયા ચાલશે તો તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. પરંતુ મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મેળ ખાતી નથી. મારી વિચારધારા એવી છે કે હું ક્યારેય RSS કાર્યાલયમાં જઈ શકતો નથી. જો તમે ઈચ્છો તો તમે મારું ગળું કાપી શકો છો.'

રાહુલે કહ્યું, 'મારો એક પરિવાર છે, તેની એક વિચારધારા છે. વરુણે એક સમય, કદાચ આજે પણ એ વિચારધારાને અપનાવી છે. તે વિચારધારાને તેણે પોતાની બનાવી, હું તે વાતને સ્વીકારી શકતો નથી. રાહુલે કહ્યું, 'હું તેને પ્રેમથી મળી શકું છું, ગળે લગાવી શકું છું, પરંતુ તે વિચારધારાને સ્વીકારી શકતો નથી. આ મારા માટે સ્વીકાર કરવી અશક્ય છે. મારો મુદ્દો વિચારધારાની લડાઈ પર છે.'

વાસ્તવમાં BJPના સાંસદ વરુણ ગાંધી આ દિવસોમાં પોતાની પાર્ટીની નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમના નિવેદનો પરથી તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. તેઓ કોંગ્રેસમાં પ્રવેશવાનો માર્ગ મોકળો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેમ તે અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી છે. BJP પ્રત્યે તેમનો મોહભંગ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. છેલ્લાં 2 વર્ષથી વધુ સમયથી મુખ્ય સામયિકોમાં તેમણે જે પ્રકારના લેખો પ્રકાશિત કર્યા છે અથવા જે રીતે તેમણે સોશિયલ મીડિયા પર મુદ્દાઓ પર પોતાની જ સરકારને ઘેરી છે, તેનાથી આ અટકળોને વધુ વેગ મળ્યો છે.

વરુણ ગાંધીએ તાજેતરમાં એક જાહેર સભામાં ચોંકાવનારું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું ન તો નેહરુજીની વિરુદ્ધ છું, ન તો કોંગ્રેસની વિરુદ્ધ. આપણી રાજનીતિ દેશને આગળ લઈ જવાની હોવી જોઈએ ના કે આંતરવિગ્રહ સર્જવાની. આજે જે લોકો માત્ર ધર્મ અને જાતિના નામે વોટ માંગે છે, તેમને આપણે પૂછવું જોઈએ કે રોજગાર, શિક્ષણ, દવાની શું હાલત છે.

વરુણ ગાંધીએ કહ્યું હતું કે, આપણે એવી રાજનીતિ નથી કરવી, જે લોકોને દબાવી દે, પરંતુ અમારે એવી રાજનીતિ કરવાની છે, કે જે લોકોને ઉભા થવાનો મોકો આપે. ધર્મ અને જાતિના નામે મત લેનારાઓને આપણે પૂછવું જોઈએ કે, તેઓ રોજગાર, શિક્ષણ કે આરોગ્ય જેવા ગંભીર મુદ્દાઓ પર શું કરી રહ્યા છે. આપણે એવી રાજનીતિ ન કરવી જોઈએ જે લોકોને ઉશ્કેરવામાં કે તેમને દબાવવામાં માનતી હોય. આપણે એવી રાજનીતિ કરવી જોઈએ જેનાથી લોકોને આગળ વધવાનો મોકો મળે.

આ પહેલા રાહુલ ગાંધીએ BJP અને RSS પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું, આજે RSS અને BJP ભારતની સંસ્થાઓને નિયંત્રિત કરી રહ્યા છે. તમામ સંસ્થાઓ પર તેમનું દબાણ છે. પ્રેસ પર પણ તેમનું દબાણ છે, ચૂંટણી પંચ પર તેમનું દબાણ છે. અગાઉ બે રાજકીય પક્ષો વચ્ચે જે લડાઈ થતી હતી, તેવી લડાઈ હવે રહી નથી. હવે ભારતમાં લોકશાહી નથી. EVM એક માત્ર તેનું પાસું છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.