'હું તેમને મળી શકું છું, ગળે લગાવી શકું છું પણ...', રાહુલે વરુણ અંગે શું કહ્યું?

રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલી ભારત જોડો યાત્રા મંગળવારે પંજાબના હોશિયારપુર પહોંચી હતી. અહીં તેમણે પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન જ્યારે રાહુલ ગાંધીને વરુણ ગાંધીના કોંગ્રેસમાં પ્રવેશ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું કે, 'હું તેમને મળી શકું છું, ગળે લગાવી શકું છું, પરંતુ મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મેળ ખાતી નથી.'

રાહુલ ગાંધીએ કહ્યું કે, 'તેઓ BJPમાં છે, જો તેઓ અહીંયા ચાલશે તો તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. પરંતુ મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મેળ ખાતી નથી. મારી વિચારધારા એવી છે કે હું ક્યારેય RSS કાર્યાલયમાં જઈ શકતો નથી. જો તમે ઈચ્છો તો તમે મારું ગળું કાપી શકો છો.'

રાહુલે કહ્યું, 'મારો એક પરિવાર છે, તેની એક વિચારધારા છે. વરુણે એક સમય, કદાચ આજે પણ એ વિચારધારાને અપનાવી છે. તે વિચારધારાને તેણે પોતાની બનાવી, હું તે વાતને સ્વીકારી શકતો નથી. રાહુલે કહ્યું, 'હું તેને પ્રેમથી મળી શકું છું, ગળે લગાવી શકું છું, પરંતુ તે વિચારધારાને સ્વીકારી શકતો નથી. આ મારા માટે સ્વીકાર કરવી અશક્ય છે. મારો મુદ્દો વિચારધારાની લડાઈ પર છે.'

વાસ્તવમાં BJPના સાંસદ વરુણ ગાંધી આ દિવસોમાં પોતાની પાર્ટીની નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમના નિવેદનો પરથી તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. તેઓ કોંગ્રેસમાં પ્રવેશવાનો માર્ગ મોકળો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેમ તે અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી છે. BJP પ્રત્યે તેમનો મોહભંગ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. છેલ્લાં 2 વર્ષથી વધુ સમયથી મુખ્ય સામયિકોમાં તેમણે જે પ્રકારના લેખો પ્રકાશિત કર્યા છે અથવા જે રીતે તેમણે સોશિયલ મીડિયા પર મુદ્દાઓ પર પોતાની જ સરકારને ઘેરી છે, તેનાથી આ અટકળોને વધુ વેગ મળ્યો છે.

વરુણ ગાંધીએ તાજેતરમાં એક જાહેર સભામાં ચોંકાવનારું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું ન તો નેહરુજીની વિરુદ્ધ છું, ન તો કોંગ્રેસની વિરુદ્ધ. આપણી રાજનીતિ દેશને આગળ લઈ જવાની હોવી જોઈએ ના કે આંતરવિગ્રહ સર્જવાની. આજે જે લોકો માત્ર ધર્મ અને જાતિના નામે વોટ માંગે છે, તેમને આપણે પૂછવું જોઈએ કે રોજગાર, શિક્ષણ, દવાની શું હાલત છે.

વરુણ ગાંધીએ કહ્યું હતું કે, આપણે એવી રાજનીતિ નથી કરવી, જે લોકોને દબાવી દે, પરંતુ અમારે એવી રાજનીતિ કરવાની છે, કે જે લોકોને ઉભા થવાનો મોકો આપે. ધર્મ અને જાતિના નામે મત લેનારાઓને આપણે પૂછવું જોઈએ કે, તેઓ રોજગાર, શિક્ષણ કે આરોગ્ય જેવા ગંભીર મુદ્દાઓ પર શું કરી રહ્યા છે. આપણે એવી રાજનીતિ ન કરવી જોઈએ જે લોકોને ઉશ્કેરવામાં કે તેમને દબાવવામાં માનતી હોય. આપણે એવી રાજનીતિ કરવી જોઈએ જેનાથી લોકોને આગળ વધવાનો મોકો મળે.

આ પહેલા રાહુલ ગાંધીએ BJP અને RSS પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું, આજે RSS અને BJP ભારતની સંસ્થાઓને નિયંત્રિત કરી રહ્યા છે. તમામ સંસ્થાઓ પર તેમનું દબાણ છે. પ્રેસ પર પણ તેમનું દબાણ છે, ચૂંટણી પંચ પર તેમનું દબાણ છે. અગાઉ બે રાજકીય પક્ષો વચ્ચે જે લડાઈ થતી હતી, તેવી લડાઈ હવે રહી નથી. હવે ભારતમાં લોકશાહી નથી. EVM એક માત્ર તેનું પાસું છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.