મારે રસ્તા પર ચાલવાનો ઓલિમ્પિક રેકોર્ડ નથી બનાવવોઃ પ્રશાંત કિશોર

કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ હરિયાણામાં છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલી આ યાત્રાએ ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે અને તેમાં કોઇ બેમત નથી. જોકે, રાજકારણના મેદાનમાં આ યાત્રાને લઇને હજુ પણ કેટલાક સવાલ ઉભા થઇ રહ્યા છે. હવે ચૂંટણી રણનીતિકાર સાથે રાજનેતા બનેલા પ્રશાંત કિશોરે ભારત જોડો યાત્રાને નજરમાં રાખતા શનિવારે 7મી જાન્યુઆરીના રોજ કહ્યું કે, તે મોટા લોકો છે.

IPACના સંસ્થાપક પ્રશાંત કિશોર પણ આ સમયે બિહારમાં પદયાત્રા કરી રહ્યા છે. પત્રકારોના એક સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, તે મોટા લોકો છે. તેમની સરખામણીમાં તો હું કંઇ જ નથી. કિશોરે કહ્યું કે, કોંગ્રેસ મોટી પાર્ટી છે અને રાહુલ ગાંધી ઘણા મોટા માણસ છે અને તેઓ રાષ્ટ્રીય સ્તર પર મોટા પ્રયાસો કરી રહ્યા છે.

પ્રશાંત કિશોરે કટાક્ષ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી 3500 કિલોમીટર લાંબી યાત્રા પર છે. મારા માટે કિલોમીટર મહત્વના નથી. હું ઓક્ટોબરથી થોભ્યા વગર ચાલી રહ્યો છું, પણ હું પોતાની શારીરિક ફિટનેસના પૂરાવાના રૂપમાં તેને નથી બતાવવા માગતો. તેમણે કહ્યું કે, મારા માટે યાત્રા સમાજને નીચલા સ્તર પર સમજવાનો પ્રયાસ છે અને તેનું સમાધાન પણ લોકોના માધ્યમથી કાઢવાનું છે.

IPACના સંસ્થાપક પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર પરોક્ષ રૂપે કટાક્ષ કરતા કહ્યું કે, રસ્તા પર ચાલવાનો મારે ઓલિમ્પિક રેકોર્ડ નથી બનાવવાનો, કે મારે નથી બતાવવું કે હું કેટલો ફિટ છું. મારે જનતાની સમસ્યાને સમજવાની છે, તેથી મારી યાત્રાની તેની સાથે કોઇ તુલના નથી.

તેમણે આગળ કહ્યું કે, આ છઠ્ઠની તપસ્યાની જેમ છે. એક પાણીનો ઘુંટ લઇ શકાય છે, પણ સાચા ભક્ત એ રીતની સમજૂતી નથી કરતા અને 36 કલાકનો ભીષણ ઉપવાસ પૂરો કરે છે. કિશોરે ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, નવા વર્ષ પર મેં નથી બ્રેક લીધો અને નથી હું ઘરે ગયો, આ મારા માટે નથી.

પ્રશાંત કિશોર પહેલી વખત 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના શાનદાર સફળ અભિયાનને સંભાળ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. ત્યાર બાદ, તેમણે કેટલાક રાજકીય દળો માટે ચૂંટમી પ્રચારની જવાબદારી સંભાળી. વર્ષ 2021માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થઇ અને ત્યાં તેમણે મમતા બેનર્જીને ફરી એક વાર જીત અપાવી.

આ દરમિયાન, IPACના સંસ્થાપકે નીતીશ કુમાર, ઉદ્ધવ ઠાકરે, એમ કે સ્ટાલિન, અરવિંદ કેજરીવાલ, અમરિંદર સિંહ, જગન મોહન રેડ્ડી અને ચંદ્રશેખર રાવ જેવા કેટલાક નેતાઓ સાથે કામ કર્યું હતું.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.