મારાથી ભૂલ થઈ, જેના કારણે મારી વહુ વિધવા બનીઃ કેન્દ્રીય મંત્રી

મેં એક ભૂલ કરીને મારા નશાના બંધાણી છોકરાના લગ્ન કર્યા, જેના કારણે આજે મારી વહુ વિધવા બની ગઈ. હવે બીજી કોઈ છોકરી વિધવા ન બને, તે માટે તમારી છોકરીઓના લગ્ન કોઈપણ નશાખોર સાથે ન કરો, પછી ભલે તે ગમે તેટલો મોટો હોદ્દો, પદ અને ગમે તેટલો પૈસાદાર પણ કેમ ન હોય.

ડ્રગ્સ સેવનની વિરુદ્ધ આ ટ્વીટ PM મોદી સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરે કર્યું છે. કૌશલ કિશોર આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન છે. લખનઉના મોહનલાલ ગંજથી સાંસદ છે. આ ટ્વિટમાં BJP સાંસદે પોતાના પુત્રના મોતનો ઉલ્લેખ કર્યો છે. વર્ષ 2020માં તેમના પુત્ર આકાશ કિશોરનું 28 વર્ષની વયે અવસાન થયું હતું. રિપોર્ટ્સ અનુસાર આકાશ કિશોરને દારૂની લત હતી. દારૂની લતને કારણે પુત્રના મૃત્યુ બાદ કૌશલ કિશોરે નશા વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું, જે ત્યારથી સતત ચાલુ છે.

31 ડિસેમ્બર, 2022ની સવારે મંત્રી કૌશલ કિશોરે ટ્વીટ કરીને અપીલ કરી હતી કે છોકરીઓના લગ્ન નશો કરનારી વ્યક્તિ સાથે ન કરાવો.

વધુમાં, માદક દ્રવ્યોના સેવનથી થતી સમસ્યાઓનો ઉલ્લેખ કરતા મંત્રીએ લખ્યું કે, જો નશો ન કરતા કોઈ ગરીબ છોકરા સાથે લગ્ન કરશે તો ઓછામાં ઓછું છોકરીઓ સુરક્ષિત તો રહેશે અને શાંતિથી જીવશે, પરંતુ જેઓ નશો કરે છે, તેઓ ઘરમાં મારપીટ, લડાઈ, ઝઘડો, વિવાદ, અપશબ્દોનો ઉપયોગ કરશે. જેના કારણે પરિવારને સતત તકલીફ પડે છે અને મહિલાઓ અને બાળકોને સૌથી વધુ આવી તકલીફ પડે છે. આનાથી બચવા માટે, દરેકને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ તેમની છોકરીઓના લગ્ન એવા છોકરાઓ સાથે જ કરે જેઓ નશાના બંધાણી ન હોય. હું છોકરીઓને પણ વિનંતી કરું છું કે છોકરીઓએ નશાનો બંધાણી હોય તેવા છોકરાઓ સાથે લગ્ન કરવાની ના પાડવી જોઈએ. એવા છોકરાઓ સાથે જ લગ્ન કરો, જેઓ નશો કરતા નથી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત એક અહેવાલ મુજબ, તાજેતરમાં એક નશા મુક્તિ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, તેઓ પોતે સાંસદ હોવા છતાં અને તેમની પત્ની ધારાસભ્ય હોવા છતાં તેઓ તેમના પુત્રનો જીવ બચાવી શક્યા નથી, તો સામાન્ય જનતા કેવી રીતે કરી શકે? તેમણે કહ્યું હતું કે, મારો પુત્ર (આકાશ કિશોર) તેના મિત્રો સાથે દારૂ પીવાની લત ધરાવતો હતો. તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે ખરાબ આદત છોડી દેશે એમ ધારી 6 મહિના પછી તેના લગ્ન કરાવ્યા. જો કે, લગ્ન પછી તેણે ફરીથી દારૂ પીવાનું શરૂ કર્યું અને આખરે તેનું મૃત્યુ થયું. બે વર્ષ પહેલા 19 ઓક્ટોબરે આકાશનું અવસાન થયું ત્યારે તેનો પુત્ર માંડ બે વર્ષનો હતો.

કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરે સમગ્ર દેશને નશા મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે, આ માટે તેઓ સતત સક્રિય છે. તેમણે કહ્યું છે કે, જ્યાં સુધી ભારત નશાથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી નશા વિરુદ્ધ આંદોલન કરતા રહેશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.