હિંદુ રાષ્ટ્ર બનાવવા રાજકારણમાં પણ આવીશ, પ્રધાનમંત્રી બનવાની છે કોશિશ: પરમહંસ

ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ કરી રહેલા જગદગુરુ પરમહંસ દાસે ફરી એકવાર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો મારે ભારતને હિંદુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવા માટે રાજકારણમાં જવાની જરૂર પડશે તો હું ચોક્કસ જઈશ કારણ કે હું રામ રાજ્યની સ્થાપના કરવા માંગુ છું. પરમહંસે શાહરૂખની ફિલ્મનો વિરોધ કરીને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. પઠાન ફિલ્મ રીલિઝ થવા બાબતે પણ ચિમકી આપી છે.

પરમહંસએ કહ્યું કે મોગલ કાળથી લઈને 2014 સુધી ભારતીય સંસ્કૃતિ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્રમાં 2014માં સરકાર બદલાયા બાદ અમે સરકાર પર દબાણ કર્યું છે. અમે માંગ કરી હતી કે જે આપણી ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ છે. તેને પુનઃસ્થાપિત કરવો જોઈએ. આ પછી અમિત શાહે અમને કહ્યું કે ગુરુજી દેશને સત્ય બતાવો.

અયોધ્યાના જગદગુરુ પરમહંસ આટલેથી અટક્યા નહી અને કહ્યું કે મારી કોશિશ દેશના પ્રધાનમંત્રી બનવાની છે. તેમણે કહ્યુ કે ઘણા લોકો પોતાના પરિવાર માટે જીવે છે, પરંતુ હું મારા પોતાના દેશ માટે જીવું છું.

પરમહંસ એ પછી શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ પર પણ પોતાનું નિવેદન આપ્યું હતું. અયોધ્યાના સંત પરમહંસે કહ્યું કે, જો શાહરૂખ મને સામે મળી જશે તો તેને જીવતો સળગાવી દઇશ. તેમણે કહ્યું કે ફિલ્મમાં બેશરમ રંગ ગીતમાં ભગવા રંગનું અપમાન કરવામાં આવ્યું છે. પરમહંસે કહ્યું હતું કે આને લઇને અમારા સનાતન ધર્મના લોકો સતત વિરોધ કરી રહ્યા છે. અમે શાહરૂખ ખાનના પોસ્ટરો સળગાવ્યા 

જો મને ફિલ્મ જિહાદ સાથે જોડાયેલી લાગશે તો હું તેને પણ જીવતો સળગાવી દઇશ. પરમહંસે સાથે ચિમકી આપી કે જો પઠાન ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થશે તો સિનેમાઘરોને પણ આગ લગાવી દઇશું.

હિંદુ સંસ્કૃતિના નામ પર સંતો આવા નિવેદનો આપે છે ત્યારે ખિન્ન ચઢી જાય છે. કોઇ પણ ધર્મના ગુરુઓ બેફામ નિવેદનો આપે તે ચલાવી જ ન લેવા જોઇએ.

આ પહેલા અયોધ્યામાં હનુમાન ગઢીના પૂજારી મહંત રાજુ દાસે પણ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. તેણે શાહરૂખ પર સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે બોલીવુડ અને હોલીવુડ બંને સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છે

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.