મને મરી જવાનું પસંદ, પણ ભાજપ સાથે જવાનું નહીં: CM નીતિશ કુમાર

બિહારમાં સત્તાધારી જનતા દળ યુનાઇટેડ (JDU)માં મચેલા રાજકીય ધમાસણ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે કહ્યું કે, છેલ્લા શ્વાસ સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે નહીં જઇએ. મને મરી જવાનું પસંદ છે, પરંતુ ભાજપ સાથે જવાનું નહીં. અમે લોકો અટલજીને માનનારા લોકો છીએ. તેમણે દાવો કર્યો કે, અમે ભાજપને છોડી દીધી હતી, પરંતુ બળજબરીપૂર્વક પાછળ પડતા સાથે આવ્યા.

વર્ષ 2020માં અમે તો મુખ્ય મંત્રી બનવા માગતા નહોતા, પરંતુ તેમણે જે કર્યું તે બધાએ જોયું. અમે લોકોએ તેમને એટલી ઇજ્જત આપી. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, એક વખત ચૂંટણી તો થવા દો, બધાને ખબર પડી જશે કે કોની કેટલી સીટ આવે છે. નીતિશ કુમારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહ સતત તેમના પર નિશાનો સાધી રહ્યા છે.

ઉપેન્દ્ર કુશવાહે દાવો કર્યો હતો કે, જનતા દળના મોટા નેતા ભાજપના સંપર્કમાં છે. આ અગાઉ જ્યારે ઉપેન્દ્ર કુશવાહ AIIMSમાં દાખલ થયા હતા, તો તેમની તસવીર પણ કેટલાક ભાજપના નેતાઓ સાથે સામે આવી હતી. ત્યારબાદ ઉપેન્દ્ર કુશવાહના ભાજપમાં સામેલ થવાના અનુમાન લગાવવામાં આવવા લાગ્યા હતા. જો કે, કુશવાહે કહ્યું કે, તેઓ જનતા દળ છોડીને જવાના નથી.

આ અગાઉ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, હવે ભાજપ કોઇ પણ કિંમત પર નીતિશ કુમાર સાથે સમજૂતી નહીં કરે. સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, પ્રદેશ કાર્યસમિતિમાં બિહાર પ્રભારી વિનોદ તાવડે પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે નીતિશ કુમાર કોઇ પણ ગઠબંધન માટે ભાર બની ચૂક્યા છે. નીતિશમાં વોટ ટ્રાન્સફર કરવાની ક્ષમતા સમાપ્ત થઇ ચૂકી છે. વર્ષ 2020માં જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં પ્રચાર ન કર્યો હોત તો JDU 15 સીટ પણ જીતી ન શકતી. નીતિશ જતા રહેવાથી ભાજપ ખુશ છે.

નીતિશ કુમારે ભાજપના નેતાઓના એ નિવેદન પર પલટવાર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ હવે જનતા દળ કે નીતિશ કુમાર સાથે ક્યારેય ગઠબંધન નહીં કરે. તેની જાહેરાત બિહારના પ્રભારી વિનોદ તાવડેએ કરી. ત્યારબાદ સુશીલ મોદીએ મીડિયાને એ વાતની જાણકારી આપી. તેમણે કહ્યું કે, નીતિશ કુમારે બધા સાથે છળ કર્યું છે. નીતિશ કુમારે લાલુ યાદવ, જોર્જ ફર્નાન્ડીઝ, શરદ યાદવ સાથે છળ કર્યું. અંતમાં ભાજપને પોતાની શિકાર બનાવી. તેમણે જનાદેશનું અપમાન કર્યું. તેની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપમાનિત કર્યા એટલે હવે ભવિષ્યમાં તેમની સાથે ભાજપ ક્યારેય નહીં જાય.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.