મને મરી જવાનું પસંદ, પણ ભાજપ સાથે જવાનું નહીં: CM નીતિશ કુમાર

બિહારમાં સત્તાધારી જનતા દળ યુનાઇટેડ (JDU)માં મચેલા રાજકીય ધમાસણ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે કહ્યું કે, છેલ્લા શ્વાસ સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે નહીં જઇએ. મને મરી જવાનું પસંદ છે, પરંતુ ભાજપ સાથે જવાનું નહીં. અમે લોકો અટલજીને માનનારા લોકો છીએ. તેમણે દાવો કર્યો કે, અમે ભાજપને છોડી દીધી હતી, પરંતુ બળજબરીપૂર્વક પાછળ પડતા સાથે આવ્યા.

વર્ષ 2020માં અમે તો મુખ્ય મંત્રી બનવા માગતા નહોતા, પરંતુ તેમણે જે કર્યું તે બધાએ જોયું. અમે લોકોએ તેમને એટલી ઇજ્જત આપી. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, એક વખત ચૂંટણી તો થવા દો, બધાને ખબર પડી જશે કે કોની કેટલી સીટ આવે છે. નીતિશ કુમારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહ સતત તેમના પર નિશાનો સાધી રહ્યા છે.

ઉપેન્દ્ર કુશવાહે દાવો કર્યો હતો કે, જનતા દળના મોટા નેતા ભાજપના સંપર્કમાં છે. આ અગાઉ જ્યારે ઉપેન્દ્ર કુશવાહ AIIMSમાં દાખલ થયા હતા, તો તેમની તસવીર પણ કેટલાક ભાજપના નેતાઓ સાથે સામે આવી હતી. ત્યારબાદ ઉપેન્દ્ર કુશવાહના ભાજપમાં સામેલ થવાના અનુમાન લગાવવામાં આવવા લાગ્યા હતા. જો કે, કુશવાહે કહ્યું કે, તેઓ જનતા દળ છોડીને જવાના નથી.

આ અગાઉ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, હવે ભાજપ કોઇ પણ કિંમત પર નીતિશ કુમાર સાથે સમજૂતી નહીં કરે. સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, પ્રદેશ કાર્યસમિતિમાં બિહાર પ્રભારી વિનોદ તાવડે પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે નીતિશ કુમાર કોઇ પણ ગઠબંધન માટે ભાર બની ચૂક્યા છે. નીતિશમાં વોટ ટ્રાન્સફર કરવાની ક્ષમતા સમાપ્ત થઇ ચૂકી છે. વર્ષ 2020માં જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં પ્રચાર ન કર્યો હોત તો JDU 15 સીટ પણ જીતી ન શકતી. નીતિશ જતા રહેવાથી ભાજપ ખુશ છે.

નીતિશ કુમારે ભાજપના નેતાઓના એ નિવેદન પર પલટવાર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ હવે જનતા દળ કે નીતિશ કુમાર સાથે ક્યારેય ગઠબંધન નહીં કરે. તેની જાહેરાત બિહારના પ્રભારી વિનોદ તાવડેએ કરી. ત્યારબાદ સુશીલ મોદીએ મીડિયાને એ વાતની જાણકારી આપી. તેમણે કહ્યું કે, નીતિશ કુમારે બધા સાથે છળ કર્યું છે. નીતિશ કુમારે લાલુ યાદવ, જોર્જ ફર્નાન્ડીઝ, શરદ યાદવ સાથે છળ કર્યું. અંતમાં ભાજપને પોતાની શિકાર બનાવી. તેમણે જનાદેશનું અપમાન કર્યું. તેની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપમાનિત કર્યા એટલે હવે ભવિષ્યમાં તેમની સાથે ભાજપ ક્યારેય નહીં જાય.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.