જો 2024માં BJP જીતશે તો પછી ચૂંટણી નહીં થાય, PM મોદી નરેન્દ્ર પુતિન બની જશે: માન

કેન્દ્ર સરકારના વટહુકમ સામે આમ આદમી પાર્ટીની એક રેલી રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં કરવામાં આવી છે. આ રેલીને સંબોધન કરતી વખતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નિશાન સાધીને કહ્યું હતું કે, જો 2024ની લોકસભાની ચૂંટણી BJP જીતશે તો દેશનું બંધારણ બદલી નાંખવામાં આવશે, ચૂંટણીઓ નહીં થાય અને નરેન્દ્ર મોદી નરેન્દ્ર પુતિન બની જશે. ભગવંત માને કહ્યુ કે હવે તો લોકો જ કરી રહ્યા છે કે ભાજપનો મતલબ ભારતીય જુગાડ પાર્ટી છે.

ભગવંત માને કહ્યું કે આ કોઇ શક્તિ પ્રદર્શન નથી, અમે પ્રજા સુધી એ વાત પહોંચાડવા માટે આવ્યા છીએ કે, કેવી રીતે તમારા અધિકારો છીનવી લેવામાં આવી રહ્યા છે. તમે લાઇનમાં ઉભા રહીને મત આપીને નેતા ચૂંટો છે. પંરતુ PM મોદી અને ભાજપ વાળા એવું ઇચ્છતા જ નથી કે બીજા કોઇની સરકાર બને. જો ચૂંટણીમાં સરકાર ન બને તો ભાજપ વાળા પાછળના દરવાજેથી સરકાર બનાવી લે છે.

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યુ કે તમે કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે, જો તેઓ કામ નહીં કરી શકે, અધિકારીઓને આદેશ નહીં આપી શકશે, ભ્રષ્ટ અધિકારીઓને નહીં બદલી શકશે, તેમને સસ્પેન્ડ નહીં કરી શકશે તો પછી સીસ્ટમ ચાલશે કેવી રીતે.

ભગવંત માને રામલીલા મેદાનના મંચ પરથી કહ્યું કે, હવે માત્ર એક જ વર્ષ બાકી છે. દેશની 140 કરોડ જનતા નક્કી કરે કે દેશને બચાવવો છે તો દેશ બચી જશે. નહીં તો વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં જો ભાજપ જીતશે તો બંધારણ બદલી નાંખશે. ચૂંટણીઓ નહીં થવા દેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નરેન્દ્ર પુતિન બની જશે. રશિયાના રાષ્ટ્રપતિએ જાહેર કરેલું જ છે કે 35 વર્ષ સુધી તેઓ જ રશિયાના રાષ્ટ્રપતિ તરીકે રહેશે. પ્રધાનમંત્રી આવનારા સમયના નરેન્દ્ર પુતિન છે. હવે દેશે જાગવું પડશે. તેઓ ડરાવે છે. અમે આ મેદાન પરથી શરૂઆત કરી હતી. આ આમ આદમી પાર્ટીનું જન્મસ્થળ છે. અમે જીત્યા પછી આવ્યા. તેઓ અમને જેલમાં નાખીને અમારી ટીમને તોડવા માંગે છે. અમે કહેવા માંગીએ છીએ કે हम वो पत्ते नहीं, हीं जो साख से टूटकर गिर जाएंगे. आंधियों को बोलो... अपनी औकात में रहो.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.