આવશે તો માત્ર PM મોદી જ; ગડકરીએ 2024ની આગાહી કરી, MP-રાજસ્થાનમાં પણ દાવો

રાજકીય બાબતોમાં પોતાની નિખાલસતા માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 2024ની લોકસભા ચૂંટણીની આગાહી કરી છે. તેમનું કહેવું છે કે, PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર 2024માં પહેલા કરતા વધુ સીટો સાથે પરત ફરશે. 2019ની લોકસભા ચૂંટણીમાં BJPએ 300થી વધુ બેઠકો મેળવીને બહુમતની સરકાર બનાવી હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે, અહીં BJPની જ જીત થશે. જોકે, તેમણે તેલંગાણાની ચૂંટણીને લઈને આવો દાવો કર્યો ન હતો અને કહ્યું હતું કે, અમે એક મજબૂત પક્ષ તરીકે ઉભરીશું. ત્યાં અમારી તાકાત પહેલા કરતા વધુ હશે.

 

મીડિયા સૂત્રો સાથે વાત કરતાં નીતિન ગડકરીએ કહ્યું, 'અમને લોકસભા ચૂંટણીમાં અગાઉ જે બેઠકો મળી હતી તેના કરતાં વધુ બેઠકો મળશે. અમે દેશનું ભવિષ્ય સુધાર્યું છે અને PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકો અમને ફરીથી જીતાડશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ મફત વીજળી સહિતની મફત યોજનાઓને પણ ખોટી ગણાવી હતી. તેમણે કહ્યું કે વીજળી કંપનીઓ 18 લાખ કરોડ રૂપિયાના નુકસાનમાં છે. જો આમ જ ચાલતું રહેશે તો આપણું પાવર સેક્ટર ખતમ થઈ જશે. જો ચૂંટણી જીતવી જ હોય તો ગરીબો માટે ઘર બનાવો અને તેમને રોજગાર આપો. જો આપણે લોકોને મફતમાં કંઈક આપીએ છીએ, તો તે તેનું મહત્વ ગુમાવે છે. આ મફત આપવાની રાજનીતિ લોકશાહી માટે ખતરનાક છે.

માર્ગ પરિવહન મંત્રીએ કહ્યું કે, લોકો શિક્ષિત છે અને જાણે છે કે તેમણે કોને મત આપવો જોઈએ. વિપક્ષ અને વિદેશી મીડિયા દ્વારા ભારતમાં લોકશાહી ખતરામાં હોવાનું કહેવા પર નીતિન ગડકરીએ કહ્યું કે એવું નથી. કોઈપણ સિસ્ટમ પોતાના કાયદાથી ચાલે છે, જ્યારે કેટલાક લોકો કાયદા સમક્ષ નિષ્ફળ જાય છે ત્યારે તેઓ આવા આક્ષેપો કરે છે. તેમણે કહ્યું કે, જે કામ કોંગ્રેસે 60 વર્ષમાં નથી કર્યું તે અમે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 10 વર્ષમાં કરી બતાવ્યું છે.

નીતિન ગડકરીએ ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર આપવા અંગે કોંગ્રેસની ટિપ્પણી સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ પ્રકારના નિવેદનો આપીને કોંગ્રેસની આવી હાલત થઇ ગઈ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગાંધીજીને ગીતામાં ઘણી શ્રદ્ધા હતી અને ગીતા પ્રેસે તેના પ્રચાર માટે અદ્ભુત કામ કર્યું છે. તેથી જ ગીતા પ્રેસ સામે ખોટી વાતો કરવી એ ગાંધીજીની વિચારધારા વિરુદ્ધ બોલવા જેવું છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.