આતંકીઓ સામે કાર્યવાહી કરવી હોય તો સેનામાં 30 ટકા મુસ્લિમોને સામેલ કરો

જનતા દળ યુનાઈટેડ (JDU)ના MLC ગુલામ રસૂલ બલિયાવીએ સેનાની તુલના ગાઝર સાથે કરવા પર વિવાદ થઈ ગયો છે. રવિવારે નવાદામાં ઈદારા-એ-શરીયા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પર કર્યો અને કહ્યું કે, જો તેમણે પાકિસ્તાની આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં ડર લાગે છે તો સરકારે સેનામાં 30 ટકા મુસ્લિમ યુવાનોની ભરતી કરવી જોઈએ, તેમનો સામનો કરવા. તેઓ કહે છે કે, મેં સંસદમાં પણ એમ કહ્યું છે અને વડાપ્રધાનને એ બતાવવા માગીશ કે લોઢું લોઢાને કાપે છે અને લોઢાને ગાજર નહીં કાપી શકે.

તેઓ કહે છે કે, જો સરકાર પાકિસ્તાની આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં ડરે છે, તો તેણે 30 ટકા મુસ્લિમ બાળકોને સેનામા સામેલ કરવું જોઈએ. આપણે જાણીએ છીએ કે, આપણે આપણાં દેશને બચાવવા શું કરવાનું છે. ગુલામ રસૂલ બલિયાવીએ યોગ ગુરુ બાબા રામદેવ પર મુસ્લિમો વિરુદ્ધ હાલમાં કરવામાં આવેલા વિરોધ પર નિશાનો સાધ્યો અને કહ્યું કે, મુસ્લિમ સમુદાયથી આવનારા APJ અબ્દુલ કલામ જ હતા, જેમણે પાકિસ્તાનની પરમાણુ ક્ષમતાનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું કે, જ્યારે પાકિસ્તાન પોતાની પરમાણુ મિસાઈલોથી ભારતને ધમકી આપી રહ્યું હતું, તો નાગપુરના કોઈ સંત તેમને જવાબ આપવા ગયા નહોતા. એ એક મુસ્લિમ પુત્ર APJ અબ્દુલ કલામ હતા, જેમણે પાકિસ્તાનને જવાબ આપ્યો. હવે આ કોઈ પહેલી વખત નથી, જ્યારે સેનાને લઈને નેતાઓ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય. સેનાએ તો દરેક વખત પોતાને જાતિ-ધર્મથી અલગ રાખી છે અને કોઈ પણ પ્રકારની રાજનીતિમાં ફસાવાનો પ્રયત્ન કર્યો નથી.

જનતા દળ યુનાઇટેડના નેતાના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા નિખિલ આનંદે કહ્યું કે, મુસ્લિમ વોટ મજબૂત કરવા માટે ગુલામ રસૂલ બલિયાવી મુખ્યમંત્રી નીતિશ કુમારના મુખપત્રની જેમ વ્યવહાર કરી રહ્યા છે. આ વખત તેમણે સેનાનું અપમાન કર્યું. જો તેમને પોતાના સાથી મુસ્લિમોની એટલી જ ચિંતા છે તો તેમણે પસમાંદા મુસ્લિમોના કલ્યાણ માટે કામ કરવું જોઈએ. JDUના રાષ્ટ્રીય મહાસચિવ અફાક અહમદે એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, મને ખબર નથી કે બલિયાવીએ કયા સંદર્ભમાં કહ્યું છે કે તેમણે શું કર્યું, પરંતુ તેમણે આ પ્રકારના નિવેદન આપતા બચવું જોઈએ.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.