રાહુલ ગાંધીનો પ્રભાવ આમ જ રહેશે તો 2024માં ફેરફાર આવી શકેઃ સંજય રાઉત

શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો છે કે, ગયા વર્ષે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું નેતૃત્વ પ્રભાવશાળી રહ્યું છે અને જો વર્ષ 2023માં પણ આ ક્રમ જારી રહેશે તો ચૂંટણીમાં દેશમાં રાજકીય ફેરફાર જોવા મળી શકે છે. શિવસેનાના મુખપત્ર સામનામાં પોતાના સાપ્તાહિક આલેખ રોકટોકમાં રાઉતે એ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે નફરત અને વિભાજનના બીજ ન વાવવા જોઇએ.

રાજ્ય સભાના સભ્ય રાઉતે કહ્યું કે, રામ મંદિરનો મુદ્દો હલ થઇ ગયો છે, તેથી આ મુદ્દે હવે કોઇ વોટ ન માગી શકાશે. તેમણે કહ્યું કે, તેથી લવ જેહાદનો એક નવો મુદ્દો શોધવામાં આવી રહ્યો છે. શું લવ જેહાદનું આ હથિયાર ચૂંટણી જીતનારા માટે અને  હિંદુઓ વચ્ચે ભય ફેલાવવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

હાલ ટેલિવીઝન કલાકાર તુનિષા શર્માની કથિત રૂપે આત્મહત્યા અને બહુચર્ચિત શ્રદ્ધા વાલકર હત્યાકાંડનો ઉલ્લેખ કરતા રાઉતે કહ્યું કે, આ લવ જેહાદના મુદ્દા ન હતા. જોકે, તેમણે કહ્યું કે, કોઇ પણ જાતિ કે ધર્મની મહિલા પ્રતાડિત ન થવી જોઇએ. રાઉતે આશા વ્યક્ત કરી કે, વર્ષ 2023માં દેશ ભયમુક્ત હશે.

તેમણે કહ્યું કે, જે ચાલી રહ્યું છે તે સત્તાનું રાજકારણ છે. આશા રાખુ છું કે, રાહુલ ગાંધીની યાત્રા સફળ થાય અને તેઓ પોતાનો ઉદ્દેશ્ય હાંસલ કરે. રાઉતે દાવો કર્યો છે કે, 2022માં રાહુલ ગાંધીના નેતૃત્વને નવી ચમક અને પ્રભાવ પ્રદાન થયો છે. જો 2023માં આ ક્રમ જારી રહેશે તો 2024ની સામાન્ય ચૂંટણીમાં ફેરફાર આવી શકશે.

પોતાના આલેખમાં રાઉતે લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, આપણે સંકીર્ણ વર્તનથી બચવું જોઇએ પણ તથ્ય એ છે કે, આ દિશા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આગળ વધી છે. રાઉતે કહ્યું કે, આજના શાસક વિપક્ષી દળોના અસ્તિત્વ અને તેમના અધિકારોને સ્વીકાર નથી કરવા માગતા. રાજ્ય સભાના સભ્યએ દાવો કર્યો છે કે, હિંદુઓ અને મુસલમાનો વચ્ચે ખટાશ પેદા કરવાથી એક નવા વિભાજનની શરૂઆત થઇ શકે છે. રાઉતે કહ્યું કે, શિવસેનાને રાહુલ ગાંધી પર વિશ્વાસ છે.

About The Author

Related Posts

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.