કોઈનામાં દમ છે તો બીજા ધર્મ પર ફિલ્મ બનાવીને દેખાડો,ધીરેન્દ્ર શાસ્ત્રીની ચેલેન્જ

થોડા દિવસો પહેલા બાગેશ્વર ધામ સરકારનાપંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં છે. નાગપુરની એક સમિતિની સાથે થયેલા વિવાદ પછી હવે બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દેશના ફિલ્મ નિર્માતાઓને ચેલેન્જ આપી દીધી છે. બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું છે કે જો ફિલ્મ બનાવનારાઓના બાપમાં દમ હોય તો બીજા ધર્મ પર ફિલ્મ બનાવીને દેખાડે. તેમનું ભારતમાં રહેવાનું મુશ્કેલ થઈ જશે. બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજકલ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કથા વચન કરી રહ્યા છે.

અહીં મીડિયા સાથે વાત કરતા બાગેશ્વર મહારાજે ફિલ્મોના બોયકોટના એક સવાલ પર કહ્યું હતું કે, જે લોકો આવી ફિલ્મો બનાવે છે તેમના માટે બોયકોટ જ સૌથી સારો વિકલ્પ છે. બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આગળ કહ્યું કે આ બધી સમજી વિચારીને કરવામાં આવેલું કાવતરું છે. આ લોકોને મોંની ખાવી પડશે.બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું છે કે સનાતની વ્યક્તિઓની વિચારધારા ક્યારેય હિંસાત્મક નથી રહી. દરેક વખતે હિંદુ દેવી દેવતાઓનું અપમાન એટલા માટે કરવામાં આવે છે કે આપણે હિંદુ લોકો ઘણા ભોળા છીએ. આપણે સનાતની લોકો અહિંસા પર વિશ્વાસ રાખનારા લોકો છીએ.

તેમણે ફિલ્મ નિર્માતાઓને ખુલ્લી ચેલેન્જઆપતા કહ્યું છે કે, હું ફિલ્મ બનાવનારાઓને કહેવા ઈચ્છું છું કે તેમના બાપમાં દમ છે તો બીજા કોઈ ધર્મ પર ફિલ્મ બનાવીને દેખાડે. ભારતમાં રહેવું મુશ્કેલ બની જશે.

અંધ શ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક અને નાગપુરની જાદુ-ટોણા વિરોધી નિયમ જનજાગૃતિ પ્રચાર-પ્રસાર સમિતિના સહ અધ્યક્ષ શ્યામ માનવે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને ડરનો દરબાર કહ્યો છે. શ્યામ માનવે પોલીસને કરેલી ફરિયાદ અને મીડિયાને કહ્યું છે કે નાગપુરમાં પંડિત ધીરેન્દ્રની કથા 5 થી 13 જાન્યુઆરીના થવાની હતી. આમંત્રણ પત્ર અને પોસ્ટરમાં પણ 13 જાન્યુઆરી સુધી કથાની વાત હતી. કથા પૂરી થવાના બે દિવસ પહેલા જ તે નાગપુરથી જતા રહ્યા હતા.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સંબંધ બાગેશ્વર ધામ સાથે છે. બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલો છે. અહીંના ગઢા ગામના બાગેશ્વર ધામમાં દર મંગળવાર અને શનિવારે તેમના ભક્તોનો વિશાળ મેળો ભરાય છે. મોડી રાતે થનારા આ મેળામાં હજારો લોકો આવે છે. તેમાં મોટેભાગે પ્રેત બાધાથી મુક્તિની કામના લઈને લોકો આવે છે અને પૂજા શ્રદ્ધાના ભાવ સાથે તેમની આગળ લાલ કપડાંમાં નારિયેળ ચઢાવે છે. આ કારણ છે કે બાગેશ્વર ધામમાં દર મંગળવારે અને શનિવારે નારિયેળનું મોટું ઝાડ બની જાય છે.  

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.