લાંચ ન આપી તો હોસ્પિટલની કર્મચારીઓએ ગર્ભવતીને પાછી કાઢી, શિશુનું જન્મ પછી મોત

UPના આરોગ્ય મંત્રી DyCM બ્રિજેશ પાઠકનો ઘરેલુ જિલ્લો હોવા છતાં હરદોઈમાં આરોગ્ય વિભાગમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક સગર્ભા મહિલાની ભરતી કરવાના બદલામાં તેના પતિ પાસેથી લાંચ માંગવામાં આવી હતી અને લાંચ ન આપવા બદલ તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડી હતી, ત્યારપછી બીજા દિવસે પૈસાની વ્યવસ્થા કરી યુવક સગર્ભાને લઈને સામુહિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યો હતો. જ્યાં હોસ્પિટલના કર્મચારીઓને ઘણી સમજાવટ બાદ પત્નીને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.

સમયસર સારવાર ન મળવાને કારણે તેના પુત્રનું મોત થયું હોવાનો આરોપ છે. પીડિત યુવકે CMO, DM, SPને આવેદન આપીને નર્સો અને આશા બહુ વિરુદ્ધ કાર્યવાહીની કરવાની માંગ કરી છે. આ મામલે CMOએ તપાસ સમિતિની રચના કરી છે અને સમગ્ર પ્રકરણનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. CMOની વાત માનીએ તો તપાસ રિપોર્ટ આવ્યા પછી આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો હરદોઈ જિલ્લાના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર બિલગ્રામનો છે.

હકીકતમાં, થાણા બિલગ્રામના દુર્ગાગંજ ગામના મજરા સરૌના નિવાસી રિશેન્દ્ર કુમારની પત્ની ગર્ભવતી હતી. રિશેન્દ્ર કુમારના જણાવ્યા મુજબ, 18 મેના રોજ, જ્યારે તેની પત્ની મનીષાને પ્રસૂતિ પીડા થતી હતી, ત્યારે તે તેને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, બિલગ્રામ લઈ ગયો, જ્યાં ફરજ પરની ત્રણ નર્સોએ તેની પત્નીને દાખલ કરવા માટે 2,500 રૂપિયાની લાંચ માંગી. જ્યારે તેણે કહ્યું કે, તેની પાસે પૈસા નથી, તો ત્યાંથી તેને ભગાડી મુકવામાં આવ્યો, ત્યારબાદ તે તેના ગામ પાછો ગયો. ગામલોકો પાસેથી 1500 રૂપિયા ઉછીના લઈને બીજા દિવસે તે તેની પત્નીને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયો હતો, જ્યાં હાજર સ્ટાફને ઘણી સમજાવટ પછી 1500 રૂપિયા લઈને તેની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

તેણે એવો આરોપ લગાવ્યો છે કે, તેની પત્ની સાથે ગાળો આપીને ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. ડિલિવરી બાદ તેની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો હતો, જેને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. રિશેન્દ્ર કુમારના કહેવા પ્રમાણે, ફરજ પરની નર્સો અને આશા બહુએ તેમની પાસેથી લાંચની માંગણી કરી હતી. જો તેમની પત્નીને યોગ્ય સમયે દાખલ કરવામાં આવી હોત તો તેમના પુત્રનો જીવ બચી શક્યો હોત, આ સ્થિતિમાં તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

રિશેન્દ્ર કુમારે લાંચની વાતચીત દરમિયાન વીડિયો બનાવીને સમગ્ર પ્રકરણની ફરિયાદ જિલ્લા મેજિસ્ટ્રેટ, SP અને CMOને કરી છે. આ મામલામાં CMO ડો.રાજેશ તિવારીએ જણાવ્યું કે, આ મામલો ધ્યાન પર આવ્યો છે જેમાં લાંચનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.