લોન ભરાઇ ગઇ હોય અને દસ્તાવેજો પાછા ન મળે તો, ગ્રાહકોને રોજ આટલા રૂપિયા મળશે

On

જો તમે લોનનું પુરુ પેમેન્ટ કે રી-પેમેન્ટ કે સેટલમેન્ટ કરી દીધું છે અને તમે જમા કરાવેલા દસ્તાવેજો તમને પરત મળતા નથી તો તમને રોજના 5,000 રૂપિયા વળતર પેટે મળશે. આ દસ્તાવેજોમાં ચલ અને અચલ સંપત્તિના બધા મૂળના દસ્તાવેજો સામેલ છે. આ વળતર તમને એ સંસ્થા આપશે જેની પાસેથી તમે લોન લીધી હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ વિશે 13 સપ્ટેમ્બરે સંબંધિત સૂચના જારી કરી દીધી છે. આ સૂચના રેગ્યુલેટેડ ઇન્ટીટીઝ (RE) જેમાં બધી બેંકો, નોન બેકિંગ ફાયનાન્સ કંપની, બધી કો.ઓઓપરેટીવ બેંકોને આપવામાં આવી છે.

લોન સંપૂણપણે પુરી થઇ ગયા પછી 30 દિવસની અંદર લોન લેનારને દસ્તાવેજો પરત કરવા હવે ફરજિયાત બની ગયું છે. 1 ડિસેમ્બર 2023થી આ નિયમ લાગૂ પડશે. દેશની સેન્ટ્રલ બેંકે ગ્રાહકોની સુરક્ષા અને માનસિક પરેશાનની ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય જાહેર કર્યો છે.

RBI એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ, 2003 થી વિવિધ નિયમનકારી સંસ્થાઓ (REs) ને જારી કરાયેલ વાજબી પ્રેક્ટિસ કોડ પરની માર્ગદર્શિકા મુજબ, REs એ સંપૂર્ણ ચુકવણી પ્રાપ્ત કરવી અને લોન એકાઉન્ટ્સ જાળવવા જરૂરી છે. બંધ કરતી વખતે તમામ જંગમ અને સ્થાવર મિલકતના દસ્તાવેજો મૂકત કરવા ફરજિયાત છે. જો કે, એવું જોવામાં આવ્યું છે કે REs આવા જંગમ અને સ્થાવર મિલકતના દસ્તાવેજો બહાર પાડવા માટે વિવિધ પ્રથાઓનું પાલન કરે છે, જેનાથી ગ્રાહકની ફરિયાદો અને વિવાદો થાય છે.

Cnbctv18 18ના અહેવાલ મુજબ, સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, અસરકારક તારીખે અથવા તે પછી જારી કરાયેલા લોન મંજૂરી પત્રોમાં મૂળ મિલકત દસ્તાવેજો પરત કરવાની સમયમર્યાદા અને સ્થળનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે. ઉપરાંત એકમાત્ર ઉધાર લેનાર અથવા સંયુક્ત ઋણ લેનારાઓના મૃત્યુની કમનસીબ ઘટનાના કિસ્સામાં, RE એ કાનૂની વારસદારોને મૂળ મિલકતના દસ્તાવેજો પરત કરવા માટે એક સુનિયોજિત પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. આ પ્રક્રિયાને અન્ય ગ્રાહક-સંબંધિત નીતિઓ અને પ્રક્રિયાઓ સાથે REs ની વેબસાઇટ્સ પર સુલભ બનાવવી જોઈએ.

RBIના નવા નિયમ મુજબ જો તમારી લોન પુરી થયાના 30 દિવસની અંદર તમને તમામ દસ્તાવેજો પાછા ન મળે તો એ પછી લોન આપનારી સંસ્થાએ ગ્રાહકોને રોજના 5,000 રૂપિયા વળતર આપવું પડશે. આ નિયમ 1 ડિસેમ્બર 2023થી લાગૂ પડવાનો છે.

Top News

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

વકફ બિલને લઈને રસ્તાઓ પર લડાઈ શરૂ થઈ ગઈ છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને વક્ફ...
National 
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી

ગુજરાત અને નવરાત્રી એક બીજાના પર્યાય છે. ‘જ્યા જ્યા ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી!’ અને હવે, એ પરંપરાને એક નવો રંગ,...
Gujarat 
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.