1 વર્ષમાં એશિયાના કુલ 15 દેશો પોતાને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરશેઃ નિશ્ચલાનંદ

પુરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ મંગળવારે વારાણસીમાં સનાતન પરંપરા પર પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, માતૃશક્તિ દૂષિત થશે તો કંઈ જ બાકી રહેશે નહીં. છોકરીઓ સાથે જે થઈ રહ્યું છે તે આધુનિક શિક્ષણ વ્યવસ્થાની દિશાહીનતા અને પ્રતિષ્ઠાનું અતિક્રમણ છે. સનાતની પરંપરાથી જ દેવી-દેવતાઓની રક્ષા શક્ય છે. તેઓએ પોતાની મર્યાદા અને ગોત્રમાં રહીને કોઈ પણ પગલું ભરવું જોઈએ. તેમના પાંચ દિવસના રોકાણ દરમિયાન તેઓ અસ્સી સ્થિત આશ્રમમાં રોકાશે, જ્યાં સવાર-સાંજ ધર્મ વેદોની ચર્ચા કરવામાં આવશે.

શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું, 'શ્રી રામચરિતમાનસ પર ટિપ્પણી કરવામાં આવી રહી છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. ટિપ્પણી કરનારને મારી પાસે લાવો. ચાણક્ય નીતિનો અભ્યાસ કરવા માટે હું એક ઉદાહરણ આપું. આધુનિક શિક્ષણની દિશા ચિંતાનો વિષય છે. દિલ કે ટુકડે હજાર હુયે, કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા. મર્યાદા ઓળંગશે અને તેનું ધ્યાન રાખશે નહિ, અને જો કુલ ગોત્રનું ધ્યાન નહિ રાખશે તો આ સ્થિતિ થશે. સનાતન ધર્મ બંધારણનું પાલન થાય ત્યારે જ દેવી-દેવતાઓની રક્ષા થઈ શકે છે. માતૃશક્તિ દૂષિત થઈ જશે તો કંઈ બચશે નહીં.'

કાશીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે નેપાળથી આવેલા શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ અસ્સીના દક્ષિણામૂર્તિ મઠમાં પત્રકારોને જણાવ્યું કે, જેઓ શ્રી રામચરિતમાનસ પર ટિપ્પણી કરી રહ્યા છે. તેમને વધુ વાંચવા અને લખવાની જરૂર છે. તેઓએ પહેલા ચાણક્ય નીતિનો અભ્યાસ કરવો જોઈએ, પછી તેઓ માનસને સમજી શકશે. તેમણે બ્રાહ્મણ હોવાના મહત્વ વિશે પણ ચર્ચા કરી હતી.

શંકરાચાર્યએ કહ્યું કે, મોરેશિયસ પોતાને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા તૈયાર છે. તેઓ ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની રાહ જોઈ રહ્યા છે. તેમનું માનવું છે કે, જો આમ થશે તો એક વર્ષમાં એશિયાના કુલ 15 દેશો પોતાને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરશે. તેની લહેર ભારતમાં પણ ફેલાઈ ચુકી છે. તેને કોઈ રોકી શકતું નથી. મેં દોઢ વર્ષ પહેલા છત્તીસગઢમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે RSSએ ત્યાં રેલી શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે હિન્દુ રાષ્ટ્રને લઈને દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. અમેરિકન સંસદમાં પણ આને લઈને ચર્ચા ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.