1 વર્ષમાં એશિયાના કુલ 15 દેશો પોતાને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરશેઃ નિશ્ચલાનંદ

PC: abcnews.media

પુરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ મંગળવારે વારાણસીમાં સનાતન પરંપરા પર પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, માતૃશક્તિ દૂષિત થશે તો કંઈ જ બાકી રહેશે નહીં. છોકરીઓ સાથે જે થઈ રહ્યું છે તે આધુનિક શિક્ષણ વ્યવસ્થાની દિશાહીનતા અને પ્રતિષ્ઠાનું અતિક્રમણ છે. સનાતની પરંપરાથી જ દેવી-દેવતાઓની રક્ષા શક્ય છે. તેઓએ પોતાની મર્યાદા અને ગોત્રમાં રહીને કોઈ પણ પગલું ભરવું જોઈએ. તેમના પાંચ દિવસના રોકાણ દરમિયાન તેઓ અસ્સી સ્થિત આશ્રમમાં રોકાશે, જ્યાં સવાર-સાંજ ધર્મ વેદોની ચર્ચા કરવામાં આવશે.

શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું, 'શ્રી રામચરિતમાનસ પર ટિપ્પણી કરવામાં આવી રહી છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. ટિપ્પણી કરનારને મારી પાસે લાવો. ચાણક્ય નીતિનો અભ્યાસ કરવા માટે હું એક ઉદાહરણ આપું. આધુનિક શિક્ષણની દિશા ચિંતાનો વિષય છે. દિલ કે ટુકડે હજાર હુયે, કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા. મર્યાદા ઓળંગશે અને તેનું ધ્યાન રાખશે નહિ, અને જો કુલ ગોત્રનું ધ્યાન નહિ રાખશે તો આ સ્થિતિ થશે. સનાતન ધર્મ બંધારણનું પાલન થાય ત્યારે જ દેવી-દેવતાઓની રક્ષા થઈ શકે છે. માતૃશક્તિ દૂષિત થઈ જશે તો કંઈ બચશે નહીં.'

કાશીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે નેપાળથી આવેલા શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ અસ્સીના દક્ષિણામૂર્તિ મઠમાં પત્રકારોને જણાવ્યું કે, જેઓ શ્રી રામચરિતમાનસ પર ટિપ્પણી કરી રહ્યા છે. તેમને વધુ વાંચવા અને લખવાની જરૂર છે. તેઓએ પહેલા ચાણક્ય નીતિનો અભ્યાસ કરવો જોઈએ, પછી તેઓ માનસને સમજી શકશે. તેમણે બ્રાહ્મણ હોવાના મહત્વ વિશે પણ ચર્ચા કરી હતી.

શંકરાચાર્યએ કહ્યું કે, મોરેશિયસ પોતાને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા તૈયાર છે. તેઓ ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની રાહ જોઈ રહ્યા છે. તેમનું માનવું છે કે, જો આમ થશે તો એક વર્ષમાં એશિયાના કુલ 15 દેશો પોતાને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરશે. તેની લહેર ભારતમાં પણ ફેલાઈ ચુકી છે. તેને કોઈ રોકી શકતું નથી. મેં દોઢ વર્ષ પહેલા છત્તીસગઢમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે RSSએ ત્યાં રેલી શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે હિન્દુ રાષ્ટ્રને લઈને દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. અમેરિકન સંસદમાં પણ આને લઈને ચર્ચા ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp