'જો આપણે ત્રિશુલ લઈને નહીં ઉતરીએ તો દેશ મુસ્લિમ રાષ્ટ્ર બની જશે',BJP નેતા પર FIR

દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન BJP નેતાએ વિવાદિત નિવેદન આપ્યું છે. BJP નેતા જય ભગવાન ગોયલ વિરુદ્ધ એક ખાસ સમુદાય વિરુદ્ધ નિવેદન આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. BJPના નેતા જય ભગવાન ગોયલે કહ્યું કે, જો આપણે ત્રિશુલ સાથે રસ્તા પર નહીં આવીએ તો 5 થી 7 વર્ષમાં ભારત મુસ્લિમ રાષ્ટ્ર બની જશે. આ અંગે દિલ્હી પોલીસે જય ભગવાન ગોયલના ઉશ્કેરણીજનક નિવેદન સામે કેસ નોંધ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, સંયુક્ત હિંદુ મોરચાએ ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિન્દુ રાષ્ટ્ર માટે પંચાયતનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં BJPના અનેક નેતાઓએ પણ ભાગ લીધો હતો. તેમણે કાર્યક્રમમાં માત્ર મુસ્લિમો વિશે જ નિવેદન આપ્યું ન હતું પરંતુ એમ પણ કહ્યું હતું કે 'કોઈ મુસ્લિમ નેતાએ PFIની નિંદા કરી નથી, કારણ કે બધા મુસ્લિમો સમાન છે. જો આપણે હાથમાં ત્રિશૂલ લઈને રસ્તા પર નહીં નીકળીએ તો 5-7 વર્ષમાં ભારત મુસ્લિમ રાષ્ટ્ર બની જશે.આટલું જ નહીં, તેમણે મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવાનું પણ આહ્વાન કર્યું હતું અને બધાને હિન્દુ રાષ્ટ્રનું લક્ષ્ય રાખવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં દિલ્હી BJPના કોષાધ્યક્ષ રામ અવતાર ગુપ્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યનારાયણ જટિયાએ હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ધર્મ સંસદ અપ્રિય ભાષણ કેસમાં અભદ્ર ભાષાના ઉપયોગના કેસમાં FIR અને ચાર્જશીટ દાખલ કરવામાં વિલંબ માટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે દિલ્હી ધર્મ સંસદ અપ્રિય ભાષણ કેસમાં ચાર્જશીટ દાખલ કર્યા પછી દિલ્હી પોલીસ સામેની અવમાનના અરજીનો પણ નિકાલ કર્યો હતો. કોંગ્રેસની ફરિયાદ બાદ દિલ્હી પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.

પંચાયતની બેઠકને સંબોધતા ગોયલે કહ્યું કે, કોઈ પણ હિંદુએ અન્ય ધર્મના લોકોને તેમના ઘર કે દુકાનો વેચવી કે ભાડે આપવી જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે, 'અમે પહેલા ઉત્તર-પૂર્વ દિલ્હીને હિન્દુ રાષ્ટ્ર જિલ્લો બનાવીશું અને પછી સમગ્ર દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવીશું.'

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણોનો ઉલ્લેખ કરતા, તેમણે આરોપ લગાવ્યો કે, આ વિસ્તારને 'મિની પાકિસ્તાન' બનાવવાનું કાવતરું હતું. ગોયલે ભારતને 'ગઝવા-એ-હિંદ' બનાવવાની યોજનાઓ વિશે લોકોને ચેતવણી પણ આપી હતી.

તેણે કહ્યું, 'આ ટોપીવાળાઓ પાકિસ્તાન જેવા ઈસ્લામિક દેશોના કહેવા પર 2047 સુધીમાં ભારતને 'ગઝવા-એ-હિંદ'માં પરિવર્તિત કરવાની યોજના બનાવી રહ્યા છે. જો આપણે 'ત્રિશૂલ' નહીં ચલાવીએ અને જો આપણે શેરીઓમાં બહાર નહીં આવીએ, તો આપણી માં-બહેનોને બુરખા પહેરવાની ફરજ પડી શકે છે અને બાળકોને ટોપી પહેરવાની ફરજ પાડવામાં આવી શકે છે.'

જ્યારે, સભાને સંબોધતા સૂર્ય ચૈતન્ય મહારાજે કહ્યું કે, 'ઉત્તર-પૂર્વ દિલ્હી અને પછી સમગ્ર દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે હિન્દુઓએ પહેલા એક થવાની જરૂર છે.'

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.