બધા વિપક્ષી નેતાનું એન્કાઉન્ટર કરી નાખો તો, PM મોદી શાંતિથી સૂઈ શકશેઃ સાંસદ

CBI અને ED દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ DyCM મનીષ સિસોદિયા પર કડક હાથે કામે લાગી ગઈ છે. મનીષ સિસોદિયા પર CBI અને EDની કડક પકડથી આમ આદમી પાર્ટી (AAP) પણ નારાજ છે. AAP નેતા સંજય સિંહે BJP પર મનીષ સિસોદિયાને કોઈપણ રીતે જેલમાં રાખવા માટે જાણીજોઈને કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.

AAP નેતા સંજય સિંહે PM નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત દુશ્મનાવટ નીકળવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાઓને રસ્તામાંથી હટાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. AAP સાંસદ સંજય સિંહે ટ્વીટ કર્યું, 'બાય ધ વે, મારી પાસે એક સૂચન હતું, જો વિપક્ષના તમામ નેતાઓનું એનકાઉન્ટર થઇ જાય, તો ઓછામાં ઓછા PM નરેન્દ્ર મોદી 8 કલાક શાંતિથી સૂઈ શકશે. ન કોઈ વિરોધ પક્ષ રહેશે, ન કોઈ લોકશાહી જેવું હશે. માત્ર સરમુખત્યારશાહી જ ટકી રહેશે.'

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢાએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજીને મનીષ સિસોદિયાને ષડયંત્ર હેઠળ જેલમાં રાખવાનો આરોપ લગાવ્યો હતો. AAP નેતાએ કહ્યું કે, 'આ કેસમાં કહેવાતા આરોપીઓને જામીન મળી ગયા, પરંતુ મનીષ સિસોદિયાને જામીન ન મળ્યા, તેથી CBIએ વકીલ રજૂ કર્યા ન હતા. તેથી જ કોર્ટે 11 દિવસ આગળની તારીખ આપી દીધી હતી. હવે EDએ પણ કેસ નોંધાવીને તેની ધરપકડ કરી છે.' વિપક્ષને ખતમ કરવા પાછળનો BJPનો ઉદ્દેશ્ય એક દેશ, એક પક્ષ, એક નેતાનો અમલ કરવાનો છે.'

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ DyCM મનીષ સિસોદિયાને 17 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે. EDના વકીલ જોહેબ હુસૈને કોર્ટને કહ્યું કે, મનીષ સિસોદિયાએ પુરાવા છુપાવવા માટે મોબાઈલનો નાશ કર્યો હતો. આ સાથે મનીષ સિસોદિયાના જામીન પરની સુનાવણી પણ મોકૂફ રાખવામાં આવી છે. હવે તેની જામીનની સુનાવણી 21 માર્ચે થશે.

EDએ 10 માર્ચે કેસની સુનાવણી દરમિયાન આરોપ લગાવ્યો હતો કે સિસોદિયાએ 'કૌભાંડ' વિશે ખોટા નિવેદનો આપ્યા છે. EDએ કોર્ટને કહ્યું કે, તે ગુનેગારોની મોડસ ઓપરેન્ડી શોધવા માંગે છે અને અન્ય આરોપીઓ સાથે મનીષ સિસોદિયાનો મુકાબલો કરવા માંગે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.