કૂનોમાં 8 ચિત્તાઓના મોતથી મામા શિવરાજ અકળાયા, જંગલખાતાના અધિકારીને હટાવી દેવાયા

મધ્ય પ્રદેશના કૂનોમાં સતત થઈ રહેલા ચિત્તાઓના મોત બાબતે હવે સરકારની ઊંઘ ઊડી છે. શિવરાજ સરકારે 8 ચિત્તાઓના મોત બાદ કાર્યવાહી કરી છે. સરકારે પ્રધાન મુખ્ય વન સરક્ષક વન્ય પ્રાણી PCCF જસબીર સિંહને હટાવી દીધા છે. તેમની જગ્યાએ અસીમ શ્રીવાસ્તવને આ જવાબદારી સોંપવામાં આવી છે. તો IFS જે.એસ. ચૌહાણને હવે પ્રધાન મુખ્ય વન સંરક્ષક ઉત્પાદ મુખ્યાલય, ભોપાલ મોકલી આપવામાં આવ્યા છે. 17 ડિસેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસ પર નામીબિયાથી આવેલા 8 ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા.

ત્યારબાદ 18 ફેબ્રુઆરી 2023ના રોજ સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલા વધુ 12 ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા એટલે કે કુલ 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન માદા ચિત્તાએ 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો. કુલ 24 ચિત્તાઓમાંથી 3 બચ્ચાઓ સહિત અત્યાર સુધી 8 ચિત્તાઓના મોત થઈ ચૂક્યા છે. હવે કૂનોમાં એક બચ્ચું અને નામીબિયા, દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા કુલ 15 ચિત્તા બચ્યા છે. વિંધ્યાનચલ પર્વતોના ઉત્તરી કિનારા પર સ્થિત કૂનો નેશનલ પાર્ક 750 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેનું નામ અહીંની કૂનો નદી પર રાખવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 હજાર કિલોમીટર દૂર તેમના મૂળ સ્થાન નામીબિયાથી લાવવામાં આવેલા આ ચિત્તાઓને શનિવારે કૂનો નેશનલ પાર્કના ક્વોરેન્ટાઇનના વાડાઓમાં છોડ્યા હતા. ભારતમાં વર્ષ 1952માં વિલુપ્ત થઈ ચૂકેલા આ પ્રાણીઓને પુનઃ વસાવવા માટે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કૂનો નેશનલ પાર્કમાં અત્યાર સુધી 5 ચિત્તા અને 3 બચ્ચાઓના મોત થઈ ચૂક્યા છે. ગયા અઠવાડિયે મંગળવાર અને શુક્રવારે જ 2 નર ચિત્તા (તેજસ અને સૂરજ)ના મોત થઈ ગયા હતા.

ત્યારબાદ ચિત્તાઓના ગળામાં બાંધેલા રેડિયો કોલરને લઈને સવાલ ઉઠવા લાગ્યા કેમ કે દક્ષિણ આફ્રિકાના એક ચિત્તા એક્સપર્ટે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા દાવો કર્યો હતો કે રેડિયો કોલરના કારણે ચિત્તા સેપ્ટીસીમિયાના શિકાર થઈ રહ્યા છે. તેને લઈને સરકારનું પણ નિવેદન આવ્યું છે જેમાં સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, રેડિયો કોલરથી ચિત્તાઓના મોતના દવા કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ આધારિત નથી. આ વાતો અટકળો અને અફવાઓ પર આધારિત છે. અધિકારીઓ મુજબ, ચિત્તાઓની સુરક્ષા અને અન્ય મુદ્દાઓ માટે તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સ્થળાંતરીત ચિત્તાઓના ગળાની ચારેય તરફ રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.